मारकंडेय महादेव कैथी (Markandey Mahadev Kaithi) सम्पूर्ण क्षेत्र को विकसित किया जायेगा: डॉ0 महेंद्र नाथ पांडेय

मारकंडेय महादेव कैथी (Markandey Mahadev Kaithi) स्थित गंगा में 45 लाख की लागत से गंगा में फ्लोटिंग जेटी लगायी जायेगी मारकंडेय महादेव कैथी (Markandey Mahadev Kaithi) सम्पूर्ण क्षेत्र को पर्यटन, … Read More

7 मार्च को काशी में जन जागरण हेतु विशेष गंगा सफाई अभियान (Ganga Cleanup Campaign) का आयोजन

Ganga Cleanup Campaign: वाराणसी के जिलाधिकारी कौशल राज शर्मा ने विभागीय अधिकारियों को निर्देशित करते हुए कहा है कि वाराणसी में गंगा नदी सांस्कृतिक आस्था का केंद्र है तथा गंगा … Read More

उत्तरप्रदेश की राज्यपाल आनंदीबेन पटेल (Anandiben Patel) ने बनारस का दौरा कर पशुपालकों को 14 गीर गाय वितरित की

राज्यपाल आनंदीबेन पटेल (Anandiben Patel)ने गर्भवती महिलाओं की गोद भराई की एवं बालकों को भोजन कराया रिपोर्ट : डॉ राम शंकर सिंह वाराणसी, 03 मार्च: उत्तर प्रदेश की राज्यपाल आनंदीबेन … Read More

मोबाइल लैब लबाइक 76 प्रकार के ब्लड जांच एवं टेलीमेडिसिन की सुविधा उपलब्ध कराएगी

पीएम के संसदीय क्षेत्र वाराणसी के लिए केंद्रीय कौशल विकास मंत्री डॉ महेंद्र पांडे एवं केंद्रीय राज्य मंत्री अश्वनी चौबे ने वर्चुअल माध्यम से धनवंतरी चलंत अस्पताल का किया शुभारंभ … Read More

પ્રધાનમંત્રીએ વારાણસીના વિવિધ NGO સાથે વાર્તાલાપ કર્યો

09 JUL 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીના એવા વિવિધ NGO સાથે વાર્તાલાપ કર્યો હતો જેમણે પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના સમયમાં અહીં રાહત કાર્યોમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ પવિત્ર અને ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરનારી નગરી વારાણસીમાં કોરોના મહામારી દરમિયાન આશા અને ઉત્સાહનું કિરણ જગાવવા બદલ લોકોની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અહીંના લોકો કેવી રીતે સેવાભાવ સાથે અને હિંમતપૂર્વક જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે તે અંગે તેઓ સતત માહિતી મેળવતા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચેપ નિવારણ માટે લેવામાં આવેલા વિવિધ પગલાં, વિવિધ હોસ્પિટલોની સ્થિતિ, ક્વૉરેન્ટાઇન માટેની વ્યવસ્થા અને વિસ્થાપિત શ્રમિકોના કલ્યાણ માટે કરવામાં આવેલી જોગવાઇઓ સહિત તમામ બાબતે તેઓ માહિતી મેળવી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એવી જુની માન્યતા છે કે કાશીમાં કોઇને ભુખ્યા સુવું નથી પડતું કારણ કે આ શહેર પર માતા અન્નપૂર્ણા અને બાબા વિશ્વનાથના આશીર્વાદ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા સૌના માટે આ ખૂબ જ મોટી સૌભાગ્યની વાત છે કે, આ વખતે ઇશ્વરે આપણને ગરીબોની સેવા કરવા માટે નિમિત્ત બનાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ પવિત્ર નગરીમાં વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ સ્થગિત થઇ ગઇ હોવા છતાં, વારાણસીના લોકોએ સતત ભોજન અને તબીબી પૂરવઠો પૂરો પાડીને પૂરવાર કરી બતાવ્યું છે કે, તેઓ કોરોના સામેની લડાઇમાં અને ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં કોઇનાથી પાછળ નથી. વિવિધ સરકારી અને સ્થાનિક વહીવટીતંત્રના એકમો સાથે સમન્વયમાં રહીને લોકોની સેવામાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) એ કરેલી કામગીરીની પ્રધાનમંત્રીએ ઘણી પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખૂબ જ ટુંકા સમયગાળામાં ખાદ્ય હેલ્પલાઇન અને સામુદાયિક રસોડાનું વ્યાપક નેટવર્ક તૈયાર કરવું, હેલ્પલાઇનો શરૂ કરવી, ડેટા વિજ્ઞાનની મદદ લેવી, વારાણસી સ્માર્ટ સિટીના કંટ્રોલ અને કમાન્ડ સેન્ટરનો પૂરેપૂરો ઉપયોગ કરવો આ બધુ જ બતાવે છે કે દરેક સ્તરે ગરીબોને મદદરૂપ થવા માટે આ શહેરના દરેક વ્યક્તિમાં સંપૂર્ણ સામર્થ્ય છે. જ્યારે ભોજનનું વિતરણ કરવા માટે કાર્ટ્સની અછત ઉભી થઇ ત્યારે કેવી રીતે પોસ્ટલ વિભાગે આગળ આવીને જિલ્લા વહીવટીતંત્રની મદદ કરી તેનું પણ પ્રધાનમંત્રીએ વર્ણન કર્યું હતું. સંત કબીરદાસના ઉપદેશનો ઉલ્લેખ કરતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જે સેવા કરે છે તે ક્યારેય સેવાના ફળની આશા નથી રાખતા, તેઓ સતત દિવસ અને રાત સેવા જ કરે છે! પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાક નિષ્ણાતો ભારતમાં ઘણી વધુ વસ્તી અને બીજા અન્ય પડકારોને આગળ ધરીને કોરોના મહામારી સામે લડવાની ભારતની ક્ષમતાઓ સામે સવાલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકોએ એકબીજાને આપેલા સહકાર અને તેમના સખત પરિશ્રમના કારણે ઉત્તરપ્રદેશમાં 23થી 24 કરોડ લોકોમાં ચેપ ફેલાવાના ભયને ઘટાડી શકાયો છે. તેમણે સંતોષની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં હવે આ બીમારીના ફેલાવાની ઝડપ અંકુશમાં આવી ગઇ છે અને જેમને કોરોનાનો ચેપ લાગેલો છે તે દર્દીઓ પણ ઝડપથી સાજા થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડી રહી છે અને અંદાજે 80 કરોડ લોકોને કેન્દ્રની વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે જેમાં માત્ર વિનામૂલ્યે રાશન અથવા સિલિન્ડર જ નથી આપવામાં આવતા, પરંતુ અન્ય ઘણા લાભો પણ આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાની સરખામણીએ બમણી વસ્તી ધરાવતું ભારત ગરીબો પાસેથી એક રૂપિયો પણ લીધા વગર તેમની સેવા કરી રહ્યું છે. હવે આ યોજના નવેમ્બર મહિનાના અંત સુધી એટલે કે દિવાળી અને છઠ પૂજા સુધી લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વારાણસીમાં વિવિધ કારીગરો જેમાં ખાસ કરીને વણકરો તેમજ વેપારીઓ અને વ્યાવસાયિકોને હાલમાં જે વિવિધ પ્રકારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે નિવારવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રૂપિયા 8000 કરોડના મૂલ્યની વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય પરિયોજનાઓનો ઝડપથી અમલ કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી વારાણસી સ્થિત બિન સરકારી સંગઠનોના પ્રતિનિધીઓ સાથે આવતીકાલે વાર્તાલાપ કરશે

પ્રધાનમંત્રી સામાજિક સંસ્થાઓ દ્વારા લૉકડાઉન દરમિયાન કરવામાં આવેલા ખાદ્ય વિતરણ અને અન્ય સહાયતા કાર્યોને ચર્ચા દ્વારા દેશ સમક્ષ રજૂ કરશે 08 JUL 2020 by PIB Ahmedabad કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન વારાણસીના લોકો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા મુશ્કેલીના સમયમાં જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી તેમજ પોતાના વ્યક્તિગત પ્રયાસો દ્વારા તમામ જરૂરિયાતમંદ લોકોને સમયસર ભોજન ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીજી આવી સંસ્થાઓ અને તેમના પ્રતિનિધીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કરશે અને તેમના અનુભવો તેમજ તેમણે લૉકડાઉનના સમય દરમિયાન કરેલા વિવિધ સામાજિક કાર્યોને ચર્ચા દ્વારા દેશ સમક્ષ રજૂ કરશે. લૉકડાઉનના સંપૂર્ણ સમયગાળા દરમિયાન વારાણસીમાં અલગ અલગ વિસ્તારો સાથે સંકળાયેલી 100થી વધુ સંસ્થાઓએ જિલ્લા વહીવટીતંત્રના ફુડ સેલના માધ્યમથી તેમજ વ્યક્તિગતરૂપે અંદાજે 20 લાખ ફુડ પેકેટ્સ અને 2 લાખથી વધુ સુકા કરિયાણાની કિટ્સનું વિતરણ કર્યું હતું. આ સંસ્થાઓ દ્વારા ભોજન વિતરણ ઉપરાંત સેનિટાઇઝર/ માસ્ક વિતરણ વગેરે કાર્યો પણ આ મહામારીને અટકાવવા માટે કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તમામ લોકોને ‘કોરોના યોદ્ધાઓ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. … Read More

प्रधानमंत्री वाराणसी स्थित गैर सरकारी संगठनों के प्रतिनिधियों से कल करेंगे वार्ता

प्रधानमंत्री सामाजिक संस्थाओं द्वारा लॉकडाउन में किये गए खाद्य वितरण व अन्य सहायता कार्यों को चर्चा द्वारा देश के समक्ष रखेंगे 08 JUL 2020 by PIB Delhi कोरोना महामारी के दृष्टिगत लगाए गए लॉकडाउन के दौरान वाराणसी के निवासियों तथा सामाजिक संस्थाओं द्वारा कठिन परिस्थितियों में जिला प्रशासन के माध्यम से तथा स्वयं के प्रयासों से ये सुनिश्चित किया गया कि सभी जरूरतमंदों को समय पर भोजन उपलब्ध हो। प्रधानमंत्री जी ऐसी संस्थाओं एवं उनके प्रतिनिधियों से वीडियो कांफ्रेंस के द्वारा कल वार्ता कर उनके अनुभव तथा उनके द्वारा लॉकडाउन के दौरान किये गए विभिन्न सामाजिक कार्यों को चर्चा … Read More