પલસાણા તાલુકાકક્ષાનો ૭૧મો વનમહોત્સવ ઉજવાયો

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગ્લોબલ વોર્મિંગ સમસ્યાનું નિરાકરણ વૃક્ષોનું જતન અને સંવર્ધન છેઃ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સૂરતઃ ગુરૂવારઃ- ધરતી માતાને વૃક્ષની આચ્છાદિત કરવા માટે દર વર્ષની જેમ … Read More

સિવિલ ડિફેન્સ સુરત ડિવીઝનના વડા તરીકે કાનજીભાઈ ભાલાળા

સિવિલ ડિફેન્સ સુરત ડિવીઝનના વડા તરીકે કાનજીભાઈ ભાલાળા અને ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે વિજય છૈરાની નિયુક્તિ સુરત,ગુરૂવારઃ કુદરતી કે માનવસર્જીત આફતના સમયે લોકોના જાનમાલના રક્ષણ માટે કાર્યરત સિવિલ ડિફેન્સ (નાગરિક … Read More

સુરત શહેરના ૧૩ પોલીસ કર્મીઓનું પ્લાઝમા દાન

કાયદાનું કડક પાલન કરાવતા રક્ષકોની માનવતા સુરત શહેરના ૧૩ પોલીસ કર્મીઓનું પ્લાઝમા દાન સુરતઃગુરૂવારઃ-વૈશ્વિક કોરોના મહામારીનો માર્ચ-૨૦ માં સુરત શહેરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. રાજય સરકારે કોવિડ-૧૯ સંક્રમણને રોકવા લોકડાઉનનો … Read More

નાગદા રેલ્વે સ્ટેશન પર ચાર વિશેષ ટ્રેનોના રોકાણ સમયગાળા માં વધારો

મુસાફરોની સુવિધા માટે નાગદા રેલ્વે સ્ટેશન પર ચાર વિશેષ ટ્રેનોનો સમયગાળો બે મિનિટથી વધારીને પાંચ મિનિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકડાઉનના બીજા મહિનામાં ગુજરાતમાં જિયો, BSNLના ગ્રાહકો વધ્યા

જોકે, મે 2020માં ટેલિકોમ ઉદ્યોગે ગુજરાતમાં 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા અમદાવાદ,૨૭ઓગસ્ટ:કોવિડ 19 મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં મે 2020ના અંત સુધીમાં ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા. ધ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ બુધવારે મે 2020ના મોબાઇલ સબસ્ક્રિપ્શનના આંકડાનો અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં માત્ર જિયો અને BSNLએ ગ્રાહકોમાં વધારો નોંધાવ્યો હતો, જેમાં જિયોના 1.27 લાખ અને BSNLના 1547 ગ્રાહકોના વધારાનો સમાવેશ થાય છે. લોકડાઉન દરમિયાન એવું અનુભવાયું હતું કે રોટી, કપડા અને મકાન ઉપરાંત ડેટા પણ પાયાની જરૂરિયાત બની ગયો છે. તેમ છતાં એપ્રિલ 2020માં ગુજરાતમાં 6.68 કરોડ ગ્રાહકો ધરાવતાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા અને મે 2020માં કુલ ગ્રાહકોની સંખ્યા 6.61 કરોડ રહી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, મોબાઇલ વપરાશકર્તાઓએ ખર્ચો બચાવવા માટે એકથી વધુ સીમ કાર્ડનો ઉપયોગ બંધ કર્યો હતો. અગાઉ કોલ્સ અને ડેટા પોસાય તેવા રહે તે માટે મોબાઇલ વપરાશકર્તાઓમાં એકથી વધુ સીમ કાર્ડ રાખવાનો ટ્રેન્ડ જોવા મળતો હતો. ખર્ચો ઘટાડવા માટે હવે મોબાઇલ ધારકો વધારાનું સીમ કાર્ડ કે મોબાઇલ નંબર રાખવાનું ટાળી રહ્યા છે. પોસાય તેવો હાઇસ્પીડ ડેટા પૂરો પાડવા માટે જાણીતા જિયોએ મે 2020ના મહિનામાં 1.27 લાખ ગ્રાહકોનો વધારો નોંધાવતાં ગુજરાતમાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા 2.39 કરોડે પહોંચી છે, જે એપ્રિલ 2020માં 2.38 કરોડ હતી. એ જ રીતે સરકારી માલિકીની કંપની BSNLએ 1547 ગ્રાહકોનો વધારો નોંધાવતાં એપ્રિલ 2020ની સ્થિતિએ તેના કુલ ગ્રાહકોની સંખ્યા એપ્રિલ 2020માં 61.04 લાખ હતી તે મે 2020માં 61.05 થઈ છે. રાષ્ટ્રીય સ્તરે ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ઘટીને મે મહિનામાં 116.36 કરોડ થઈ હતી, પરંતુ સર્વિસ પ્રોવાઇડર્સે પાછલા મહિનાની સરખામણીએ મે મહિનામાં ઓછો ઘટાડો નોંધાવ્યો હતો જે 57.6 લાખ ગ્રાહકોનો રહ્યો હતો. એપ્રિલ મહિનામાં ટેલિકોમ સબસ્ક્રાઇબર્સનો ઘટાડો 85.3 લાખનો હતો જ્યારે આખો દેશ સંપૂર્ણ લોકડાઉનમાં હતો અને કુલ ગ્રાહકોની સંખ્યા 116.94 કરોડ હતી. ગ્રાહકોમાં સૌથી મોટો ઘટાડો મોબાઇલ ટેલિફોની સેગમેન્ટમાં નોંધાયો હતો જેમાં મે મહિનામાં ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ સૌથી વધુ 47 લાખ મોબાઇલ ગ્રાહકો ગુમાવ્યા હતા. એરટેલ અને વોડાફોન આઇડિયાના કુલ વાયરલેસ ગ્રાહકોની સંખ્યા અનુક્રમે 31.7 કરોડ અને 30.9 કરોડ છે. આ સમયગાળા દરમિયાન જિયોએ તેના ગ્રાહકોમાં 36 લાખનો વધારો નોંધાવતાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા દેશમાં સૌથી વધુ 39.2 કરોડે પહોંચી છે. સરકારી ટેલિકોમ કંપની BSNLએ બે લાખ નવા મોબાઇલ વપરાશકર્તાઓ ઉમેરતાં તેના ગ્રાહકોની સંખ્યા 11.9 કરોડે પહોંચી છે.

વિરાટ કોહલીના ઘરે ગુંજશે બાળકની કિલકારીઓ, માતા બનવાની છે અનુષ્કા શર્મા

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૭ ઓગસ્ટ:બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા અને તેના પતિ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરમાં જલ્દી જ એક નવું મહેમાન આવવાનું છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ … Read More

અંબાજી મંદિર પરિષરમાં સંસારના કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞનો પ્રારંભ કરાવ્યો

અંબાજી મંદિર પરિષર માં જ કોરોના ની મહામારી ના નાશ માટે તેમજ વિસ્વ કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી યજ્ઞ નો પ્રારંભ કરાવ્યો… ત્રીજી તારીખે મંદિર ખુલવાની સાથે માતાજી નો પ્રસાદ અને ભોજનાલય … Read More

એસજી હાઇવે પર ના વૈષ્ણવો દેવી સર્કલ પાસે AMTS ની બસ પાણી માં ખાબકી

અમદાવાદ,૨૭ ઓગસ્ટ: એસજી હાઇવે પર ના વૈષ્ણવો દેવી સર્કલ પાસે AMTS ની બસ પાણી માં ખાબકી બસની બ્રેક ફેલ થતા ડ્રાઇવરએ સમય સુચકયા બસ ને સિક્સલેન રોડ નું કામ ચાલતા … Read More

રાજ્યમાં સરેરાશ ૧૦૭.૯૭ ટકા વરસાદ સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૨૧.૮૦ ટકા સરેરાશ વરસાદ

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૧૧ તાલુકાઓમાં વરસાદરાજ્યમાં સરેરાશ ૧૦૭.૯૭ ટકા વરસાદસૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૨૧.૮૦ ટકા સરેરાશ વરસાદ.. .. .. ..રાજ્યના ૧૮ તાલુકાઓમાં અડધા થી બે ઈંચ જેટલોવરસાદ વરસ્યો : … Read More

ખંભાળીયા તાલુકા વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ આવતા કન્ટેઇન્ટમેન્ટ તેમજ બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે

: જાહેરનામુ :-દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકા વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ આવેલ હોય, આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લઇ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની … Read More