વિધીબેન શાહને સલામત પ્રસુતિ વડે માતૃત્વના ઓરતાને પૂર્ણ કરતી રાજકોટની કોવિડ હોસ્પિટલ

આઈ.વી.એફ. ટેકનોલોજીથી સગર્ભા કોરોના દર્દીની સફળ પ્રસુતિ બેન, તમારી તબિયત કેમ છે ? સારૂ છે. પણ મારા બાળકને કેમ છે ? ક્યાં છે ? ચિંતા ના કરો, એ અહીંયા જ છે. એકદમ તંદુરસ્ત છે અને ત્રણ કીલોનો છે આપનો … Read More

રાજકોટની કોવીડ ડેડીકેટેડ હોસ્પિટલમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ સફાઈ કર્મયોગીઓની કાબિલેદાદ ફરજનિષ્ઠા

સંકટના સમયે પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડી ગૌરવભેર ફરજ નિભાવવાનો  સફાઇ કર્મીઓને આનંદ રાજકોટ,૦૮સપ્ટેમ્બર:કોરોના વાયરસના સંકટમાં પ્રથમ હરોળના યોદ્ધાઓ એવા અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ અદા કરતા એવા સફાઈ કર્મયોગીઓની કોરોના સામેનો જંગ જીતવામાં મહત્વની ભૂમિકા રહેલી છે, ત્યારે પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડીને આનંદ અને ગૌરવ સાથે કોવિડ કેર સેન્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ નિભાવી રહ્યા છે. કોવિડ ડેડીકેટેડહોસ્પિટલમાં સાફ સફાઈની કામગીરીની દેખરેખ રાખવાની અને સફાઈના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળી રહેલા  સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી સંજય રાજાણી કહે છે કે, તાલીમબદ્ધ સફાઈ કર્મીઓને જ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે. કોવિડ વોર્ડનો કચરો અને બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ થાય તેની પુરતી તકેદારી લેવામાં આવે છે. સફાઈ કર્મીઓને ફરજ સોંપતા પહેલાં બાયોમેડીકલ વેસ્ટ, પીપીઈ કીટ કેમ પહેરવી, ડોફિંગ, ડોનિંગ વગેરેની નર્સિંગ સુપ્રીટેડન્ટ, એચ. આર. મેનેજર અને આઈ.સી.એન. દ્વારા તાલીમ આપવામાં આવે છે. ત્યાર બાદ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં સરવન્ટ તરીકે ફરજ બજાવતા પાર્વતીબેન ખીમસૂરિયા કહે છે કે, અમે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય સ્વભાવિક રીતે પરિવારજનોને કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ભય રહેતો હોય છે. પણ અહીંયા અમારી પૂરતી કાળજી અને પ્રિકોસન લેવામાં આવે છે. મારા ભાગે કોવિડ -૧૯થી સક્રમિતોને  જમાડવા અને અશકત કે ચાલી ના શકતા તેવા દર્દીઓને શૌચાલય લઈ જવાની સેવા,  ઉપરાંત કોવિડ વોર્ડની સાફ સફાઈની કચરા પોતાની કામગીરી કરવાની રહે છે, ત્યારે આ સંકટના સમયે આ કામગીરી કરવાનું  ગૌરવ અનુભવી રહી છું, તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કર્મી ડાયાભાઈ સરવૈયા કહે છે કે, શૌચાલયની સાફ સફાઈ, કચરા પોતા અને સેમ્પલિંગ લઈ જવા સંબંધિ કામગીરી કરવાની રહેતી હોય છે. સાથે અમે પણ કોરોનો વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહી શકે તે માટે ઘરમાં પણ સામાજિક અંતર જાળવવાની સાથે અન્ય પણ પ્રિકોસન લઈ રહ્યા છીએ. જેથી ખુદને અને પોતાના પરિવારને પણ સુરક્ષિત રાખી શકાય. રાજય સરકારના સંવેદનશીલ અભિગમ  અંતર્ગત  સફાઇના કર્મ થકી રાજકોટમાં કોરાના દર્દીઓની સેવા  થઇ રહી છે.

કોરોનાના દર્દીઓની સારવારની ઇશ્વરે મને તક આપી છે : – ડો. ઉર્વી દવે

કોરોના દર્દીઓની  આરોગ્યલક્ષી સારવાર સાથે માનસીક મનોસ્થિતિની જાળવણી અત્યંત કપરી કામગીરી બની રહે છે:ડો. ભરત ગોહેલે અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ તા.૭ સપ્ટેમ્બર : “ઇશ્વરે મને સારા કાર્ય માટે તક આપી છે. ત્યારે પરિવારથી … Read More

રાજકોટ જિલ્લાને કોરોના મુકત કરવાનો પડકાર ઝીલતા ૧૧૦૦થી વધુ સેવાભાવી ખાનગી ડોકટરોની ટીમ

આયુષ વિભાગના નિયામકશ્રી ભાવનાબેન પટેલના હસ્તે તૈયાર કરેલ વિનામુલ્યે વિતરણ અમૃતપેય ઉકાળાઓ અને આર્સોનિક આલ્બમ-૩૦ના પેકેટો અપાયા  ૮ સપ્ટેમ્બર,રાજકોટ: કોરોના સામે સાવચેતી એજ સલામતી છે. આ બાબતને ધ્યાને લઇને આજરોજ … Read More

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ

કોરોનાગ્રસ્ત શરીરના રિસર્ચ દ્વારા સારવારની પધ્ધતિમાં બદલાવ લાવી કોરોનાને હરાવવા વધુ સઘન પગલાં લેવાશે અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ રાજકોટ, ૦૬ સપ્ટેમ્બર: કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા તથા સંક્રમણ અટકાવવા માટે સમગ્ર … Read More

રાજકોટની ડિસ્ટ્રિક્ટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં વાઈડ કોમ્યુનિકેશન સિસ્ટમનું થયું ઇન્સ્ટોલેશન

કોવિડના દસ વોર્ડમાં ૪૦ મોબાઈલ, ૪૧ ડેટા ઓપરેટર, ૧૬ મોબાઈલ કાઉન્સિલર, સ્પેશિયલ સોફટવેર અને હોસ્પિટલ બહાર વિષયવસ્તુ મુજબ ચાર વિન્ડો શરૂ થઈ અમદાવાદની કારગત નીવડેલી સિસ્ટમના મોનિટરિંગ  માટે તબીબો અને ટેકનીશ્યોની સાત સભ્યોની ટીમ રાજકોટમાં અહેવાલ:નરેશ … Read More

સીવીલ હોસ્પિટલમાં દર્દીને સારવાર માંગણીથી નહીં લાગણીથી થાય છે: અમરીશભાઈ ત્રિવેદી

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : “અલ્ટ્રામોર્ડન પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનના દર્દીઓને જે સારવાર આપવામાં આવે તેનાથી પણ વધુ સારી સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અપાય છે, અહીં દર્દીઓને હૂંફ અને માનસિક સધિયારો તો આપવામાં આવે છે, સાથો સાથ … Read More

મધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : સંગીત એ ઈશ્વરની દેન છે, શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે. સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. સંગીત કોઈપણ વ્યક્તિના મન અને મગજ પર અસરકર્તા છે. કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબુત બને … Read More

પોતાના પરિવાર પહેલાં અન્યોના પરિવારના સ્વાસ્થ્યના કલ્યાણની ચિંતા કરતાં:ડો. મુકેશ પટેલ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૫ સપ્ટેમ્બર: “પરિવાર” શબ્દ બોલતા કે સાંભળતાની સાથે અનેક સુખ-દુ:ખની ભાવનાઓના અદ્શ્ય સ્પર્શની કંપારી પગથી લઈને ધડ સુધી પ્રસરી જતી હોય છે. વિકટ પરિસ્થિતિમાં વ્યક્તિની તાકાત અને નબળાઈ … Read More

રાજકોટમાં હોમ આઈસોલેટેડ દર્દીઓ માટે ૮૦ યોધ્ધાઓની કામગીરી મિશન મોડમા

રાજકોટમાં હોમ આઈસોલેટેડ થયેલા તમામ દર્દીઓ પર દેખેરેખ રાખવા ૮૦ યોધ્ધાઓની કામગીરી મિશન મોડમા કોરોનાની સારવાર સીધી દર્દીના દ્વાર રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના કોવિડ વોર રૂમની નેત્રદિપક કામગીરી … Read More