કોરોનાથી ભયમૂક્ત બની પ્લાઝમા ડોનેટ કરીને અન્યોનું જીવન બચાવવા નિમિત્ત બનીએ: જયેશભાઈ ઉપાધ્યાય

બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૨સપ્ટેમ્બર:આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે, તેવા સમયે રાજકોટ શહેરે કોરોનાની કામગીરીમાં કયાય પાછીપાની નથી કરી. તેમ રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયે તેમનો પ્રેરક સંદેશ આપતાં વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાના કારણે આવી પડેલી લોકડાઉનની પરિસ્થિતિમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સૌથી મોટું રસોડું શરૂ કરવામાં આવ્યું હતુ. એની નોંધ વિવિધ માધ્યમોએ પણ લીધી હતી. કોરોનાના સમયમાં લોકોને મદદરૂપ થવાની સાથે મને પણ કોરોના બિમારી લાગુ પડી. કોરોનાની બિમારી શું હતી, તે મને ખબર નથી પરંતુ ત્રણ દિવસમાં જ હું તેનાથી સ્વસ્થ થઈ ગયો. loading… કોરોના વોરીયર્સ તરીકે મે ભૂતકાળમાં પણ કામ કર્યું છે, અત્યારે પણ કરી રહયો છું અને આવતી કાલે પણ કરતો જ રહીશ. તેમ જણાવતાં જયેશભાઈ વધુમાં કહે છે કે, હું એક સામાજિક કાર્યકર્તા તરીકે રાજકોટવાસીઓને વિનંતી કરૂં છું કે, કોરોનાથી ડર્યા વિના હિંમત રાખી તેનો સામનો કરો, અને તેમ છતાં પણ જો આપને કોરોના થાય તો જરાપણ ગભરાયા વિના સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને તથા યોગ્ય આહારની સાથે ઉકાળા, હળદર, લીંબુ વગેરેનું દરરોજ સેવન કરશો તો ઝડપથી સ્વસ્થ બની શકશો. અને કોરોના મૂક્ત બન્યા પછી આપ પણ મારી જેમ આપના પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોના જીવનને બચાવવામાં નિમિત્ત બનશો, તો આપણે કોરોના સામેનો જંગ બહું ઝડપથી જીતી શકીશુ અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ .

લોકો ડર્યા વગર ટેસ્ટ કરાવે અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરે: ગુણવંતભાઈ ડેલાવાળા

લોકો ડર્યા વગર ટેસ્ટ કરાવે અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરે તો કોરોનાની મહામારી સામે રાજકોટ અવશ્ય જીતશે સરગમ ક્લબના પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળાનો પ્રેરક સંદેશ   અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૧સપ્ટેમ્બર:સમગ્ર દેશમાં આજે જ્યારે કોરોનાનું સંક્રમણ થઈ રહયું છે, ત્યારે રાજ્યના અને ખાસ કરીને રાજકોટવાસીઓએ ડરવાની જરાય જરૂર નથી. સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરીશું તો ચાર – પાંચ મહિનાથી થઈ રહેલા કોરોનાના આ  સંક્રમણને આપણે હરાવી શકીશું, તેવી આશા વ્યક્ત કરતાં રાજકોટની સરગમ ક્લબના પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળાએ તેમનો પ્રેરક સંદેશ આપતાં જણાવ્યું હતુ કે, લોકોએ કોરોનાથી ડર્યા વિના તેમના ટેસ્ટ અવશ્ય કરાવવા જોઈએ. કોરોના સામેનો જંગ જીતવા સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે લોકોને જો જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવા અને જો બહાર જવાનું થાય તો માસ્ક અવશ્ય પહેરવા તેમજ ટોળા વળીને ભેગા ન થવા અપીલ કરતાં તેમણે જણાવ્યું છે કે, આજના સમયમાં કોરોનાથી ડરવાની નહી પરંતુ તેનો હિંમતપૂર્વક સામનો કરવાની જરૂર છે. જે લોકો તેમના ટેસ્ટ કરાવતાં બીવે છે, એમને મારી ખાસ વિનંતી છે કે, તમે સામેથી જઈને તમારું ટેસ્ટીંગ કરાવો. સરકાર, પ્રશાસન અને કોર્પોરેશન દ્વારા બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. ધન્વંતરી રથ પણ દરેક વિસ્તારમાં ફરી રહયાં છે, તથા સબંધિત વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો પણ કાર્યરત છે, જ્યાં જઈને લોકો તેમનો ટેસ્ટ કરાવી શકે છે. જો કોરોના થાય તો પણ તેનાથી ડર્યા વિના ઘરે રહીને પણ તેનો ઈલાજ થઈ શકે છે. loading… રાજકોટના લોકોને મારી નમ્ર વિનંતી છે કે, આપણે સૌ આ મહામારીને હરાવવા આગળ આવી પોતાનો નાગરિક ધર્મ બજાવે અને સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરે. આપણે આયુર્વેદીક દવા, ઉકાળા, હળદર – લીંબુ અને ગરમ પાણીનું નિયમિત સેવન કરીશું તથા ગરમ પાણીનો દરરોજ નાસ લઈશું તો કોરોનાથી અવશ્ય બચી શકીશુ. આખરે તો સાવચેતી એ જ સલામતી છે. રાજ્ય સરકાર, જિલ્લા પ્રશાસન, કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની સાથે સરકારના તમામ વિભાગના અધિકારી – કર્મચારીઓ સતત મહેનત કરી રહયાં છે. ત્યારે આપણે સૌ તેમને સાથ – સહકાર આપીશું તો બહું જલદીથી ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’.