WhatsApp Image 2020 08 22 at 7.31.26 PM

અંબાજીમાં ભક્તો માત્ર સવા ફુટના માટી ના ગણપતીજી ની મંગલ મુર્તી બેસાડી સ્થાપના કરી

WhatsApp Image 2020 08 22 at 7.31.26 PM

અંબાજી 22 ઓગસ્ટ:હાલ તબક્કે કોરોનાની મહામારી ના કારણે મોટાભાગના તમામ તહેવારો ઉપર કોરોના નું ગ્રહણ સાબિત થઇ રહ્યું છે એક પછી એક તહેવારો સાવ ફિક્કા પસાર થઈ રહ્યા છે લોકો વર્ષભર રાહ જોતા હોય છે તેવા ગણેશ મહોત્સવને પણ કોરોના નું ગ્રહણ લાગ્યું હોય તેમ અંબાજી શહેરમાં એકપણ પંડાલ બાંધવામાં આવ્યો નથી સાથે 11 ફૂટની બેસાડી સ્થાપના કરવામાં આવતી હોય છે બદલે હવે લોકો દર વર્ષે ગણપતિજી બોસાડવાનો સંકલ્પ લીધો હોય તેમ ગુલજારીપુરા ના તેના ભક્તો તેમજ કૈલાસ ટેકરી મંદિર માં માત્ર સવા ફુટના માટી ના ગણપતીજી ની મંગલ મુર્તી બેસાડી સ્થાપના કરી પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા

સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ભગવાન શ્રી ગણેશજી ની મોટી પ્રતિમા સ્થાપીત કરવા પ્રતિબંદ હોવાથી આજે સાદગી પુર્ણ રીતે વિજય મુહૂર્તમાં ગણપતિજીની સ્થાપના કરી હતી પૂજા અર્ચના કરી ગણપતિ બાબા મોરિયા, ઘી માં લાડુ ચોરીયા ના જયઘોષ પણ કર્યા હતા ખાસ કરીને ગણપતિ વિસર્જન નદી-નાળામાં કરવા ઉપર પણ પ્રતિબંધ હોવાથી એ લોકો પોતાના ઘરે જ તપેલામાં ગણપતિજીને બેસાડી ને વિસર્જન કરશે તેમ પુજારી ભુરાભાઈ મહારાજે જણાવ્યુ હતુ

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

Reporter bane 1