શ્રી રામજન્મ ભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા જામનગર માં સંત સંમેલન યોજાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૩ ડિસેમ્બર: વર્ષો ની તપસ્યા બાદ ભારતીય સંસ્કૃતિ ના આદર્શરૂપ ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સર્વ જન તન … Read More

ભાતીગળ હસ્તકલાના જતન અને સંવર્ધન સાથે ગ્રામિણ અર્થતંત્રને મજબુત બનાવતી રાજય સરકારની “હસ્તકલા સેતુ યોજના”

ભાતીગળ હસ્તકલાના જતન અને સંવર્ધન સાથે ગ્રામિણ અર્થતંત્રને મજબુત બનાવતી રાજય સરકારની  “હસ્તકલા સેતુ યોજના”  રાજયના રાજકોટ સહિત છ જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે અમલવારીનો પ્રારંભ રાજકોટ જિલ્લામાં ૧૯ જાગૃતિ કાર્યક્રમોમાં ૫૪૧ કારીગરો જોડાયા અહેવાલ: રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ તા.૨૨ ડીસેમ્બરઃ- ભારતીય અર્થતંત્રમાં ગ્રામિણ અર્થતંત્ર એક મહત્વપૂર્ણ પાસું છે. આ ગ્રામિણ અર્થતંત્રને ઘબકતું રાખવા અને સબળ, સુનિયોજિત  અને સમૃધ્ધ ગ્રામ્ય અર્થવ્યવસ્થા થકી રાજય અને દેશના અર્થતંત્રને મજબુત બનાવવા અમલી અનેક યોજનાઓ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ચાલી રહી છે.  રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળ કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ ગાંધીનગર દ્વારા આવી જ એક હસ્તકલા કારીગરોને પ્રોત્સાહિત કરવા મહત્વાકાંક્ષી યોજના “હસ્તકલા સેતુ યોજના”  હાલ અમલી બનાવાઇ છે. ગુજરાતના જુદા વિસ્તારોની ભાતીગળ વૈવિધ્યતા જાળવાઇ રહે  અને ઉત્તરોતર હસ્તાંતર દ્વારા સચવાઇ રહે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ હેતુને સિધ્ધ કરવા અને સુચારૂ રૂપે યોજનાના અમલીકરણનું કાર્ય ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાને સોંપવામાં આવ્યું છે.  આ યોજના અંતર્ગત હસ્તકલાના કારીગર ભાઇઓ અને બહેનોને પડતી મુશ્કેલીઓમાં મદદરૂપ થવા જરૂરી માર્ગદર્શન, ખાસ તાલીમ, બેન્ક લીંકેજ જેવી કામગીરી ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમો અન્વયે કરવામાં આવી રહી છે.  રાજકોટ જિલ્લામાં ગઢડીયા,મોટીચાણોલ, હડમતીયા, બરવળા, લાલવદર, મુંઝકા, ગૌરીદળ, રેશમડી ગાલોળ, ગોવિંદપર, દહીંસરડા, પારડી, થાણાગાલોળ, ઢોલરા, ગોંડલ , જેતપુર અને પડધરીના ગામોમાં આયોજિત ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમો અન્વયે ૫૪૧ લોકોને સહભાગી બનાવાયા હતા. જેઓને હસ્તકલા સેતુ યોજનાના સંયોજક શ્રીગીરીશભાઇ જોશી અને શ્રી ભરતભાઇ શ્રીમાળીએ યોજનાનો હેતુ, ઉદેશ વિવિધ તબ્બકાઓ વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમો દરમિયાન વિવિધ હસ્તકલાઓ જેવી કે માચી કામ, ભરતકામ, મોતીકામ,ખાટલીવર્ક, વાંસની બનાવટો, પટારીવર્ક અને હાથશાળ તથા પટોળાવર્ક કરતા કારીગરો સાથે તેઓને પડતી મુશ્કેલીઓ અને તેના નીવારણ બાબતે પરસ્પર સંવાદ પણ કરાયો હતો. રાજકોટ જિલ્લામાં યોજાયેલ કુલ ૧૯ જાગૃતિ કાર્યક્રમો દરમિયાન કોરોના મહામારીને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા ઉપરાંત હેન્ડ સેનીટાઇઝર  અને માસ્ક જેવી સુવીધાઓ પણ ઉપલબ્ધ કરાવાઇ હતી. ઉલલેખનીય છે કે હાલ આ “હસ્તકલા સેતુ યોજના”નું પ્રાયોગિક ધોરણે રાજયના માત્ર છ જિલ્લામાં અમલીકરણ થઇ રહ્યું છે. જેમાં રાજકોટ ઉપરાંત જામનગર, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે.    આ પણ વાંચો…. કોરોના મહામારી મુદ્દે ગુજરાતમાં રાહતનાં સમાચાર: રાજ્યમાં … Read More

ભારતના રિટેલ વેપાર પર આધિપત્ય જમાવવા એમેઝોનની મનસ્વી નીતિઓનો અંત આવવો જોઈએ: CAIT

ભારતના રિટેલ વેપાર પર આધિપત્ય જમાવવા એમેઝોનની મનસ્વી નીતિઓનો અંત આવવો જોઈએ: કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સંગઠનનું મંતવ્ય નવી દિલ્હી, 22 ડિસેમ્બર વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ … Read More

કોરોના મહામારી મુદ્દે ગુજરાતમાં રાહતનાં સમાચાર: રાજ્યમાં આટલા ઓછા કેસ નોંધાયા, જાણો વિગત…

અમદાવાદ, ૨૨ ડિસેમ્બર: ગુજરાતમાં એક મહિના પછી કોરોના કેસોના કેસ 1 હજારથી નીચે નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 988 નવા કેસ નોંધાયા છે અને 7 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે.રાજ્યમાં … Read More

ડી આર એમ શ્રી દિપકકુમાર ઝા દ્વારા સાબરમતીના વેગન રિપેર ડેપોનું નિરીક્ષણ

અમદાવાદ, ૨૨ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ અમદાવાદ સ્થીત સાબરમતી વેગન રિપેર ડેપોનું નિરીક્ષણ કર્યું અને કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન થઈ રહેલા મરમ્મતના કામની … Read More

डीआर एम श्री दीपक झा द्वारा साबरमती के वैगन रिपेयर डिपो का निरीक्षण

अहमदाबाद, 22 दिसंबर: पश्चिम रेलवे के अहमदाबाद मंडल के मंडल रेल प्रबंधक श्री दीपक कुमार झा ने अहमदाबाद के साबरमती स्थित वैगन रिपेयर डिपो का निरीक्षण किया तथा वहां कोरोना … Read More

શ્રીગંગાનગર-કોચુવેલી એક્સપ્રેસમાં 3 થર્ડ એસી અને એક જનરલ કોચ ઉમેરવામાં આવશે

અમદાવાદ, ૨૨ ડિસેમ્બર: રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટેઅમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી ટ્રેન નંબર 16311/16312 શ્રીગંગાનગર-કોચુવેલી-શ્રીગંગાનગર એક્સપ્રેસમાં ત્રણ થર્ડ એસી અને એક જનરલ કોચ ઉમેરવામાં આવશે. આ ટ્રેનમાં 2 સેકન્ડ એસી,6 … Read More

સાર્થક યુથ ક્લબ દ્વારા એ. કે. ઇન્સ્ટિટ્યૂટ ખાતે વકતૃત્વ પ્રતિયોગિતા યોજાઈ

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ ડિસેમ્બર: કેન્દ્ર સરકારના યુવા કાર્ય અને રમત ગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર સંલગ્ન સાર્થક યુથ ક્લબ-સુરત દ્વારા એ. કે. ઇન્સ્ટિટ્યૂટ ખાતે હિન્દી ભાષાના મહત્વ … Read More

અદાણી ફાઉન્ડેશન દ્વારા નવચેતન વિદ્યાલય-જુનાગામ ખાતે શાળાકીય સુવિધામાં વધારો કરાયો

રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર શાળાના બાળકોની સુરક્ષા માટે નવનિર્મિત દાદર (સીડી)નું લોકાર્પણ અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ ડિસેમ્બર: નવચેતન વિકાસ મંડળ સંચાલિત અને અદાણી ફાઉન્ડેશન પુરસ્કૃત નવચેતન વિદ્યાલય, જુનાગામ … Read More

15મી જાન્યુઆરીથી અમદાવાદ – નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ સ્પેશિયલ સપ્તાહમાં એક દિવસ ચાલશે.

અમદાવાદ, ૨૨ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદથી દર બુધવાર અને શુક્રવારે ચાલતી ટ્રેન નંબર 02917 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ સ્પેશિયલ ટ્રેન 15 જાન્યુઆરી, 2020 થી કાયમી ધોરણે રદ રહેશે. … Read More