જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઓછું કરવા દવા વિતરણ કરાયું.
કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર દ્વારા સતત ત્રણ દિવસ ઝુંબેશ હાથ ધરાઈ.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જીલ્લા વહીવટી તંત્ર તથા કામદાર કોલોની આરોગ્ય કેંન્દ્ર દ્રારા કોરોના સંક્રમણને પહોચી વળવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.જેમાં ૬૦ વર્ષથી ઉપરની ઉંમર વાળા વ્યક્તીઓને સંક્રમણ નું જોખમ વધારે હોય તથા જે વિસ્તારમાંથી વધુ કેસ આવે છે ત્યાં વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રનાં સ્ટાફ તથા સ્થાનીક આગેવાનોનાં સહીયારા પ્રયાસથી આરોગ્ય કર્મચારીઓની હાજરી માં જ ઓર્ગેનીક આલ્બમની દવા ગળાવવવામાં આવે છે.
આ જુંબેશ જે-તે વિસ્તારમાં સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે જેથી સંક્રમણની ચેઇનને તોડી અને વધતા-જતાં કોરોનાનાં કેસમાં ઘટાડો લાવી શકાય.જેમાં મેહુલનગર વિસ્તારની ૨૫૦૦ ની વસ્તીને સમાવિષ્ટ કરાવવામાં આવશે આ ઉપરાંત કોળીનો દંગો તથા રોયલ પુષ્પપાર્ક ને આવરી લેવામાં આવનાર છે, આમ આ રીતે અલગ-અલગ વિસ્તારમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવશે.