Cyclone yas: ચક્રવાત યાસ ને કારણે અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે
Cyclone yas: હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત *યાસ* ના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે.
અમદાવાદ , ૨૨ મે: Cyclone yas: હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત *યાસ* ના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. જે નીચે મુજબ છે:-
1. તારીખ 23 અને 24 મે, 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 02844 અમદાવાદ-પુરી સ્પેશિયલ રદ રહેશે.
2. તારીખ 25 અને 27 મે, 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02843 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.
3. તારીખ 26 મે, 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 08405 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.
4. તારીખ 24 મે, 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02037 પુરી-અજમેર સ્પેશિયલ રદ રહેશે.
5. તારીખ 25 મે, 2021 ના રોજ અજમેર થી ચાલતી ટ્રેન નંબર 02038 અજમેર-પુરી સ્પેશિયલ રદ રહેશે.