મહત્વનો નિર્ણયઃ GPSC પાસ 162 તબીબો (162 physicians permanent)ને કાયમી ડોક્ટર તરીકે નિમણૂંક અપાશે, વાંચો સંપૂર્ણ અહેવાલ
આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય
162 physicians permanent: જી.પી.એસ.સી પાસ ૧૬૨ તબીબોને કાયમી ડૉકટર તરીકે નિમણૂક અપાશે: નાયબ મુખ્યમંત્રીનીતિનભાઈ પટેલ
અહેવાલ: દિલીપ ગજજર
ગાંધીનગર, ૩૧ મે: 162 physicians permanent: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજયના નાગરિકોને ઘર આગણેજ સત્વરે આરોગ્ય સારવાર મળી રહે એ માટે જી.પી.એસ.સી પાસ ૧૬૨ તબીબોને કાયમી ડૉકટર તરીકે નિમણૂક આપવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, તાજેતરમાં G.P. S.C દ્વારા પસંણી પામેલ ૧૬૨ એમ.બી.બી.એસ. ડોક્ટરોને આરોગ્ય વિભાગના કાયમી ડોક્ટર તરીકે નિમણૂંક આપવા માટે મંજૂરી આપવામા આવી છે જેની સત્વરે નિમણુક અપાશે જેના પરિણામે આરોગ્યલક્ષી સારવારમા વધારો થશે.