સ.સં. ૧૬૩૨ Dr. DINESH Bhatt

મારે અને તમારે રવિવારની રજા હોય છે, સિવિલના સ્ટાફને નહીં: ડો. દિનેશ ભટ્ટ, જામનગર

સ.સં. ૧૬૩૨ Dr. DINESH Bhatt
  • સરકારી હોસ્પિટલના સ્ટાફનાં સગાંઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોવાની માન્યતાને ખોટી સાબિત કરતા જામનગરના તબીબ
  • ૨૪ x ૭ અને ૩૬૫ દિવસ કોરોનાના દર્દીઓની સતત વહારે રહેતા ડોકટર્સ, નર્સ, એટેન્ડન્ટસ, સર્વન્ટસ

રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: જેમની પુત્રી રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે મેડીસીન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજો બજાવે છે, એવા જામનગરના વતની ડો. દિનેશ ભટ્ટે સહર્ષ જણાવ્યું હતું કે, મારા અને તમારા જેવા સામાન્ય માણસોને રવિવારની રજા હોય છે, સિવિલના સ્ટાફને આવી કોઇ પણ પ્રકારની રજા હોતી નથી. તેઓ ૨૪ x ૭ અને ૩૬૫ દિવસ કોરોના સંક્રમિત દર્દીઓની સેવામાં સતત ખડે પગે હાજર જ હોય છે.

loading…

પાંચ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવવાથી ડો. મેધાવી ભટ્ટના પિતાશ્રીને વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માત્ર પાંચ જ દિવસની સઘન સારવારથી તેઓ કોરોનામુકત થઇ શકયા છે. આ બાબતો રાજીપો વ્યક્ત કરતાં ડો. દિનેશ ભટ્ટે કહયું હતું કે, સામાન્ય માણસોના મનમાં ઘર કરી ગયેલી એ વાત હું દૂર કરવા માંગુ છું કે, સરકારી હોસ્પિટલના ડોકટર્સ તેમના ઘરનાં સભ્યોની સારવાર અન્ય ખાનગી હોસ્પિટલમાં કરાવે છે. મારી દીકરી સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે, તેમ છતાં હું છેક જામનગરથી અહીં સારવાર લેવા આવ્યો છું. મેં ધાર્યું હોત તો હું સાવ સરળતાથી જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ શકત, પરંતુ મારી દીકરી જયાં નોકરી કરે છે ત્યાં જ સારવાર લેવાનું મેં ઉચિત માન્યું, અને આજે હું માત્ર પાંચ જ દિવસમાં કોરોનાને હરાવી શકયો છું.

ડો. દિનેશ ભટ્ટે સરકરી હોસ્પિટલમાં મળતી સારવારના મોકળા મને વખાણ કર્યા હતા, અને અહીંના ડોકટર્સ, નર્સ, એટેન્ડન્ટસ, સર્વન્ટસ વગેરે તમામ સ્ટાફની ફરજનિષ્ઠાની ખૂબ સરાહના કરી હતી. તેમના મતે, પ્રત્યેક નાગરિકે કોરોનાની સારવાર માટે સરકારી દવાખાના પર ભરોસો મુકવો જોઇએ. અને અહીં જ સારવાર કરાવવી જોઇએ.