EPFO

આર્થિક મંદીને પગલે નાગરિકોએ ૩૦૦૦૦ કરોડ રૂપિયા પ્રોવિડંડ ફંડમાંથી ઉપાડવા મજબુર બન્યા

કોરોના મહામારી વચ્ચે મોઘવારી, બેરોજગારી અને આર્થિક મંદીને પગલે ૮૦ લાખ નાગરિકોએ ત્રણ મહિનામાં ૩૦૦૦૦ કરોડ રૂપિયા પ્રોવિડંડ ફંડમાંથી ઉપાડવા મજબુર બન્યા

Manish Doshi
ડો. મનિષ દોશી, મુખ્ય પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ

અમદાવાદ,૦૨ ઓગસ્ટ ​વૈશ્વિક મહામારી કોરોનાનાંને પગલે થયેલ લોકડાઉન અને આર્થિક અણઘડ નીતિઓને પરિણામે સમગ્ર દેશમાં ધંધા રોજગાર પડી ભાગ્યા છે અને નાગરિકો પોતાની ઘણા સમયથી કરેલી પ્રોવિડંડ ફંડની બચતમાંથી દેશમાં ૮૦ લાખ અને ગુજરાતનાં ૮ લાખ નાગરીકોને પોતાની નાણાં ઉપાડી મંદીનાં સમયમાં વાપરી મજબુર બન્યા છે બેકાબુ મોઘવરી અને ભાજપની આર્થિક અણઘડ નીતિઓની આકરી ટીકા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે નોટબંદી અને જીએસટીની મારને પગલે અર્થતંત્ર પર પડેલી ફટકાર બાદ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે દેશના કરોડો નાગરીકો સામે આર્થિક સંકટની વિકટ પરિસ્થિતિ ઉદભવી છે. સીએમઆઈએનાં એક અહેવાલ અનુસાર દેશમાં દર ચોથા વ્યક્તિમાંથી એક વ્યક્તિ રોજગાર ગુમાવે છે.દેશ અને ગુજરાતમાં પણ મોટા ભાગની કંપનીઓ એ ૨૦થી લઇ ૫૦ ટકા સુધીનો પગારકાપ મુક્યો છે. જેને કારણે નાગરીકો જીવન જીવવામાં મોટા પાયે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નાગરિકો પરના અસહ્ય આર્થિક દબાણને પગલે પ્રોવિડન્ટ ફંડની બચતમાંથી પૈસા ઉપાડવા મજબુર બન્યા હતા. છેલ્લા અઠવાડિયામાં ૧ લાખથી વધુ નાગરિકોએ તેમના નિવૃત્તિ બચત ભંડોળમાંથી નાણાં ઉપાડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
​આર્થિક મંદી, મોઘવારી અને સતત વધી રહેલી બેરોજગારીએ લોકડાઉનનાં સમયમાં પણ ૮૦ લાખથી નાગરિકોના દાવાની પતાવટ એમ્પ્લ્યોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન કરી હતી. એમ્પ્લોયીઈઝ પ્રોવિડંડ ફંડ (EPF)માંથી પૈસા પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૩૦ જુન ૨૦૨૦ હતી. આ ગાળા દરમિયાન ગુજરાતમાંથી ૮ લાખ નાગરિકોએ પોતાનું પીએફ ફંડ ઉપાડી લીધું. બેરોજગારી અને મોધવારીને કારણે નાગરિકો પરનું આર્થિક સંકટથી હજુ વધુ ગંભીર પરિસ્થિતિની નિર્માણ થશે જે ગુજરાતમાંથી ૨૦ લાખ લોકોએ પોતાની પીએફની રકમ ઉપાડી લેવી પડે તેવી સ્થિતિ હવે પછીના મહિનાઓમાં આવી શકે છે.

​એમ્પ્લ્યોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશનનાં આંકડા દર્શાવે છે લોકડાઉન દરમિયાન મેડીકલ ટ્રીટમેન્ટ અને કોરોના વિન્ડો અંતર્ગત છેલ્લા ૩ મહિનામાં મોટી સંખ્યામાં નાગરિકોએ પોતાના પૈસા ઉપાડવા માટે અરજી કરી હતી. છેલ્લા ત્રણ અઠવાડિયામાં ૧ લાખથી વધુ નાગરિકોએ પૈસા ઉપાડી લીધા છે. ૧ એપ્રિલથી અત્યાર સુધી ૮૦ લાખથી વધુ નાગરિકોએ પોતાના પૈસા પાછા લઇ લીધા છે. ૮૦ લાખ નાગરિકોનાં દાવાની પતાવટમાં એમ્પ્લ્યોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન 30 હજાર કરોડ રૂપિયા સમાધાન પેટે ચુકવવામાં આવ્યા.

૯ જુનથી ૨૯ જુન વચ્ચે ૨૦ લાખ નાગરિકોએ બચતનાં નાણાં પાછા ખેંચી લીધા આ આંકડો આઘાતજનક છે. ભાજપ સરકારે કરેલા અનલોક પછી પણ નાગરીકો નોકરી ધંધા રોજગાર યોગ્ય રીતે ચાલુ થઇ શકયા નથી જેથી પોતની મૂળભૂત જરૂરિયાત પૂરી કરવા આર્થિક સંકળામણમાં છે. નોકરી જવા અંને ભયંકર મંદીના મારને કારણે નાગરિકો પોતાનું ઘર ચલાવવા માટે પ્રોવિડંડ ફંડને ઉપાડી રહ્યા છે. સામાન્ય વર્ગ તો આ મંદીમાં પીસાયો જ છે સાથોસાથ મધ્યમ વર્ગ નોકરીમાંથી છુટા કરવા કે પગારમાં કપાત થવાથી આર્થિક સંકળામણમાં પોતાનું ગુજરાન ચલાવવા અસક્ષમ બન્યા છે અને પોતાની મહામુલી બચત એવા પ્રોવિડંડ ફંડમાંથી નાણાં ઉપાડવાનો વારો આવ્યો છે
​એમ્પ્લ્યોઈઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૭૫ ટકા સુધીનું ભંડોળ ખાતામાંથી પાછું ખેંચવાની મંજુરી આપી હતી. પૈસા ઉપાડનાર ૨૪ ટકા નાગરિકોમાં ૧૫ થી ૫૦ હજારની માસિક આવક ધરાવતા હતા. 50 હજારથી વધુ પગાર ધરાવતો વર્ગ માત્ર ૨.૦ ટકા હતો.

PF chart