જામનગર ભાજપા દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે ગુજરાતીઓનું અપમાન કરતું રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નિવેદન ના વિરોધ માં ઉગ્ર સૂત્રોચ્ચાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આસામ ની રેલી દરમિયાન આસામના ચા ના બગીચાઓ ઉપર ગુજરાતીઓ એ કબ્જો જમાવ્યો છે અને આસામ ના સ્થાનિકો ને ગુજરાતીઓ હેરાન કરે છે
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર ૧૫ ફેબ્રુઆરી: જામનગર દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે ગુજરાતીઓનું અપમાન કરતું રાહુલ ગાંધી ના (Rahul Gandhi) નિવેદન ના વિરોધ માં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધી ગુજરાત ની પ્રજાની માફી માંગે તેવી માંગણી કરવામાં આવી હતી
જામનગર માં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધી ના (Rahul Gandhi) નિવેદન ના વિરોધ માં શહેર ના ટાઉનહોલ પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉગ્ર સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આસામ ની રેલી દરમિયાન આસામના ચા ના બગીચાઓ ઉપર ગુજરાતીઓ એ કબ્જો જમાવ્યો છે અને આસામ ના સ્થાનિકો ને ગુજરાતીઓ હેરાન કરે છે
આ નિવેદન પર ભાજપ ના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુગરા સહિત ભાજપ ના કાર્યકરો એ (Rahul Gandhi) “રાહુલ ગાંધી મુર્દાબાદ” અને હાય હાય કોંગ્રેસ ના નારા સાથે ઉગ્ર સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો અને રાહુલ ગાંધી ગુજરાત ની પ્રજાની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…