સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ
અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
નર્મદા, ૨૫ નવેમ્બર: કેવડીયામાં યોજાઇ રહેલી ૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારી પરિષદના ઉદઘાટન પ્રસંગે પધારેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદએ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપતિશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિરાટ વ્યક્તિત્વની વિશ્વની વિરાટતમ પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ખાતે પુષ્પ અને જલાભિષેક કરી સરદાર સાહેબની ચરણ વંદના કરી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ આરોગ્ય વનની પણ મુલાકાત લીધી હતી.
”આરોગ્ય વન” ભારતની ઔષધીય વૈભવના પ્રતીક સમાન છે. જ્યાં વિવિધ રોપાની સાથે ભારત ની પ્રાચીન આયુર્વેદિક પ્રણાલિકા તથા ઉત્તમ આરોગ્ય અંગેની જાણકારી પ્રાપ્ત કરવાનું સુંદર સ્થળ છે. રાષ્ટ્રપતિશ્રી આરોગ્ય વનની આ મુલાકાતથી પ્રભાવિત થયા હતા