NSUI: જામનગર એન.એસ.યુ.આઈ દ્વારા કોરોના મહામારીમાં ઓક્સિજન ફ્લો મીટર ની સહાય
NSUI: જામનગર યૂથ કોંગ્રેસ અને એનએસયુઆઇ ની ટીમને ધ્યાને આવતા ટિમ ના સભ્યો દ્વારા 200 થી વધુ ઓકસીજન સિલિન્ડર માટે ખાસ જરૂરી ફ્લો મીટર ની વિનામૂલ્યે જામનગર શેહર માં જરૂર હોય તે મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૨ મે: NSUI: જામનગર માં હાલ કોરોના ના દિવસે ને દિવસે કેસ વધતાં જાય છે અને ઑક્સીજન સિલિન્ડર અને ઑક્સીજન ફ્લો મીટર ની કોરોના દર્દી ની સામે ઘટ આવે છે ત્યારે જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા ઑક્સીજન સિલિન્ડર માટે ના ખાસ જરૂરી ઑક્સીજન ફ્લો મીટર નું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે
જામનગર માં હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને દર્દીઓ અને તેના પરિજનોની હાલત સાધનસામગ્રી સહિતની બાબતો ને લઈને ચિંતાજનક છે ત્યારે જેને ઓકસીજન જેને ઓકસીઝન ઘટી જાય તેને ઓકસીઝ્ન સિલિન્ડર મળી રહે તો વાલ્વ ના મળે આવા કિસ્સાઓ માં જામનગર યૂથ કોંગ્રેસ અને એનએસયુઆઇ (NSUI) ની ટીમને ધ્યાને આવતા ટિમ ના સભ્યો દ્વારા 200 થી વધુ ઓકસીજન સિલિન્ડર માટે ખાસ જરૂરી ફ્લો મીટર ની વિનામૂલ્યે જામનગર શેહર માં જરૂર હોય તે મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
યૂથ કોંગ્રેસ અને એનએસયુઆઇ (NSUI) દ્વારા છેલ્લા 12 દિવસ થી ઓકસીજન ફ્લો મીટર વિતરણ ની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી માં કોરોના દર્દીઓના રિપોર્ટ જોઈ 230 થી વધુ દર્દીઓને આ સેવા નો લાભ આપવામાં આવ્યો છે અને જ્યાં સુધી કોરોના ની પરિસ્થિતી હશે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખવામા આવશે.