Rapid Test

ભારતે સતત ચોથા દિવસે 24 કલાકમાં 6 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કર્યું

કુલ 2.27 કરોડથી વધારે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું

પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) માં સતત વધારો કરવામાં આવ્યો, જે આજે 16,513ને પાર થયા

07 AUG 2020 by PIB Ahmedabad

કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સુસંગત અને સંકલિત પ્રયત્નોના પરિણામે ભારતે સતત ચોથા દિવસે દરરોજ 6 લાખથી વધુ કોવિડ -19 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો ટ્રેક રેકોર્ડ ચાલુ રાખ્યો છે. દેશભરમાં વિસ્તૃત પરીક્ષણ લેબોરેટરી નેટવર્કમાં અને સરળ પરીક્ષણ માટેની સુવિધામાં વધારો થયો છે, અને છેલ્લા 24 કલાકમાં 6,39,042 પરીક્ષણો કરવામાં આવ્યા છે, ભારતે હાલમાં 2,27,88,393 પરીક્ષણો કર્યા છે. પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) માં 16,513 ની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે.

દરરોજ લેવામાં આવતા પરીક્ષણોમાં 7 દિવસની સામાન્ય સરેરાશ 14મી જુલાઈ, 2020ના રોજ લગભગ 2.69 લાખની સરખામણીએ સુધારા સાથે 6 ઓગસ્ટ, 2020 ના રોજ 5.66 લાખની આસપાસ પહોંચી ગઈ છે.

14 જુલાઇ, 2020ના રોજ સંચિત પરીક્ષણ 1.2 કરોડથી વધીને 6 ઓગસ્ટ, 2020ના રોજ 2.2 કરોડ થયું છે, જ્યારે સમાન સમયગાળામાં પોઝિટિવિટી રેટ 7.5% થી વધીને 8.87% થયો છે. જોકે, પરીક્ષણોની વધુ સંખ્યા શરૂઆતમાં પોઝિટિવિટી દરમાં વધારો કરશે, પરંતુ દિલ્હીના અનુભવે એ સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે, જ્યારે પ્રોમ્પ્ટ આઇસોલેશન, ટ્રેકિંગ અને સમયસર ક્લિનિકલ વ્યવસ્થાપન જેવા અન્ય પગલાં સાથે તેને જોડાવામાં આવે, ત્યારે તે આખરે ઓછું થઈ જાય છે.

ક્રમાંકિત અને વિકસતા પ્રતિસાદોના પરિણામે એક પરીક્ષણ વ્યૂહરચના પરિણમી છે જેણે દેશમાં પરીક્ષણની જાળવણીને સતત વિસ્તૃત કરી. આ વ્યૂહરચનાને આગળ વધારવા માટે, દેશમાં પરીક્ષણ લેબોરેટરી નેટવર્કને સતત મજબૂત કરવામાં આવી રહ્યું છે, જે આજે દેશમાં 1383 લેબોરેટરી નેટવર્કમાં સરકારી ક્ષેત્રમાં 931 લેબોરેટરી અને 452 ખાનગી લેબોરેટરી છે. જેમાં નીચેની વિગતોનો સમાવેશ થાય છે:

• રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 701 (સરકારી: 423 + ખાનગી: 278)

• TrueNat આધારિત પરીક્ષણની લેબ: 573 (સરકારી: 476 + ખાનગી: 97)

• CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 109 (સરકારી: 32 + ખાનગી: 77)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.