ચિંતાની વાત: રાજ્યમાં આજે નવા(Gujarat corona) 7410 કેસ નોંધાયા, તો બીજી બાજુ સ્મશાનગૃહમાં જગ્યા ખૂટી પડી!
Gujarat corona: ચિંતાની વાત/ કોરોનાનો કહેર યથાવતઃ રાજ્યમાં આજે નવા 7410 કેસ નોંધાયા, તો બીજી બાજુ સ્મશાનગૃહમાં જગ્યા ખૂટી પડી!
ગાંધીનગર,14 એપ્રિલઃ Gujarat corona: કોરોનાના કારણે રાજ્યની સ્થિતિ વધુ દયનીય બની છે. ગુજરાતમાં આજની તારીખમાંકોરોનાના નવા 7410 કેસ નોંધાતા તંત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ એટલી ગંભીર બનતી જાય છે કે, હોસ્પિટલોના બેડ પણ ફુલ થઇ રહ્યાં છે, તો ક્યાંક ઓક્સિજનની પણ અછત સર્જાઇ રહી છે તો ક્યાંક એમ્બ્યુલન્સની લાઇનો લાગી રહી છે. બીજી બાજુ સ્મશાન ગૃહોમાં પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી રહી છે.
આજે કોરોનાથી 73 લોકોના મોત નિપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સ્થિતિ અત્યંત ગંભીર જોવાં મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 2526, સુરતમાં 1655, રાજકોટમાં 653 અને વડોદરામાં 452 કેસો નોંધાતા હોસ્પિટલોના તબીબોની ચિંતામાં પણ વધારો થયો છે.