પ.પૂ.ગીતાદીદી રામાયણીએ રામ મંદિર નિર્માણ માટે અનાથ બાળાઓનાં હસ્તે ૧.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો
ગાંધીનગર, ૨૧ જાન્યુઆરી: શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં ભવ્ય મંદિર નિર્માણ માટે ઠેર-ઠેર થી દાનનો ધોધ વરસી રહ્યો છે ત્યારે આજે ગાંધીનગર નજીક આવેલા બાલવા વાત્સલ્ય વાટીકાનાં પરમ પૂજ્ય ગીતા દીદી રામાયણીએ તેનાં આશ્રમમાં રહેતી ૩૬ અનાથ બાળાઓનાં હસ્તે વિશ્વ હિન્દુ પરિષદનાં ક્ષેત્રીય સંગઠન મંત્રી ગોપાલજીની ઉપસ્થિતમાં મહિષાસુર મર્દિની બોલી રૂપીયા ૧,૨૫,૦૦૦ નો ચેક અર્પણ કર્યો હતો.
આ તકે, ગોપાલજીએ નાની બાળાઓને રામ જન્મ ભૂમિ અને નિધિ સમર્પણ અભિયાન વિશે માહિતી આપી હતી.આ પ્રસંગે જિલ્લા સત્સંગ પ્રમુખ જીવરાજજી ઠાકોર, જિલ્લા સહમંત્રી ઘનશ્યામભાઈ પટેલ, શહેર સેવા પ્રમુખ ગાંધીનગર પ્રવિણભાઇ રાવલ, જિલ્લા ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ માનસિંગભાઇ , બજરંગ દળ જિલ્લા સંયોજક શક્તિસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.