Encounter

Encounter: ગઢચિરોલીમાં 13 માઓવાદી ઠાર

Encounter: મહારાષ્ટ્રમાં એન્કાઉન્ટર : ગઢચિરોલીમાં 13 માઓવાદી ઠાર

અમદાવાદ , ૨૧ મે: Encounter: ગઢચિરોલી પાસે આવેલા પાયડી-કોટમી વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 13 માઓવાદીઓનાં મૃત્યુ થયાં છે. C-60 કમાન્ડોની ટીમે ગામ નજીક આવેલા એક કૅમ્પ પર નજર રાખી હતી. વાત એમ છે કે નક્સલવાદીઓ જંગલમાંથી ગામવાસીઓને મળવા આવ્યા હતા. ચાલુ વર્ષે તેન્દુ પત્તાંને વેચવા અને કઈ કિંમતે વેચવા એ સંદર્ભે ચર્ચા કરવા આવ્યા હતા.

Whatsapp Join Banner Guj

આની જાણકારી પોલીસને મળતાં પોલીસે કૅમ્પ પર હુમલો કરી દીધો હતો. અનેક નક્સલવાદીઓ ભાગવામાં સફળ થયા, પરંતુ 13 નક્સલવાદીઓનાં (Encounter) મૃત્યુ થયાં છે. ઘટનાસ્થળેથી પોલીસને હથિયાર, પ્રચાર સાહિત્ય, જીવનજરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત થઈ છે.

ગઢચિરોલીમાં થયેલું આ ઑપરેશન માઓવાદીઓ સામેનું સફળ ઑપરેશન માનવામાં આવે છે.

આ પણ વાંચો..૨૫ દિવસના ટૂંકા ગાળામાં ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં ૧૫૦૦ જેટલા દર્દીઓએ સારવાર મેળવી :૮૦૦ થી વધુ દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત થયા

ADVT Dental Titanium