જામનગરમાં સગીરા પર બળાત્કાર અને હાથરસ ની ઘટનાના વિરોધ માં કોંગ્રેસનો મૌન વિરોધ
બેનર સાથે કલેકટર ઓફિસ ધસી જઈ વહીવટીતંત્ર ને આવેદનપત્ર પાઠવ્યું
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૫ ઓક્ટોબર: જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના દ્વારા જામનગર માં સામુહિક બળાત્કાર નો ભોગ બનનાર પીડીતા અને હાથરસ માં બનેલ સામુહિક બળાત્કાર અને હત્યા નો ભોગ બનનાર પીડીતાને ન્યાય આપવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ને જિલ્લા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવ્યું હતું અને બળાત્કારી ઓ ને સખત માં સખત સજા કરી ફાંસી ની સજા આપી પીડિતા ને તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી કરી હતી
તેમજ લોકશાહી નો અવાજ દબાવવા કોંગ્રેસ પાર્ટી ના કેન્દ્ર યુવા નેતા રાહુલજી ગાંધી અને પ્રિયંકાજી ગાંધી તથા આગેવાનો પીડીતા ના પરિવાર ને શાન્તવના પાઠવવા જતાં હતાં ત્યારે ઉત્તરપ્રદેશ ની પોલિસે ગેરવર્તણૂક તથા ધરપકડ કરી અને કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપર બેરહમીથી લાઠીચાર્જ કર્યો હતો તે તદન ગેરકાનૂની અને તાનાશાહી ગુંડાગર્દી કરેલ છે તે સમગ્ર દેશમાં આક્રોશ સજૉયો છે,આ બાબતે જવાબદાર પોલીસ અધિકારીઓ અને સહયોગી પોલીસ ની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તથા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી અને લાગણી છે.
આ કાર્યક્રમ માં જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા, જિલ્લા સંગઠન મંત્રી કે.પી બથવાર, જિલ્લા પંચાયતના પ્રવીણભાઈ માધાણી, ઉપપ્રમુખ વશરામભાઈ, અરોગ્ય સમિતિ ના અરવિંદભાઇ ગજેરા, જિલ્લા પંચાયતના સદસ્ય જે.પી મારવીયા, સંજયભાઈ ભલોડિયા, મહિલા પ્રમુખ નૈંનબા જાડેજા, પ્રદેશ મહિલા મંત્રી પુજાબેન, જિલ્લા ઉપપ્રમુખ અમીનભાઈ, એસ ટી સેલ ના પ્રમુખ રમેશભાઈ પારઘી, શહેર કૉંગ્રેસ ના અગ્રણી અશોકભાઈ ત્રિવેદી, કોર્પોરેટર અસ્લામભાઈ ખીલજી, હાજી રિઝવાન જુનેજા, યુથ ના પ્રદેશ મંત્રી શક્તિસિંહ જેઠવા, યુથ ના પ્રમુખ તોષીફખાન પઠાણ, NSUI ના પ્રમુખ માહિપાલસિંહ, તાલુકા પ્રમુખ, ઉપેન્દ્રસિંહ, લાલપુર તાલુકા પ્રમુખ મહાવીરસિંહ, લોકસરકાર ના જીગરભાઈ રાવલ, ચિરાગભાઈ, પી.આર જાડેજા, રેવતુભા જાડેજા, જુમ્માભાઈ, કાસમભાઈ જોખીયા, પંકજભાઈ અમાસરા, જે.ટી.ચદ્રપાલ, ડેનીભાઈ, હનીફભાઈ, યાકુબભાઈ, પ્રવીણભાઈ જેઠવા અને મોટી સંખ્યા માં કાર્યકરો હાજર રહ્યા હતા