અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે બોટાદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે મહત્વની બેઠકોનો દોર શરૂ કર્યો છે.
Breaking News
ગુજરાતમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં રાજ્ય સરકારના તંત્રનું નેતૃત્વ કરતા અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર આજે બોટાદ જિલ્લાની મુલાકાતે છે. શ્રી પંકજકુમારે બોટાદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે મહત્વની બેઠકોનો દોર શરૂ કર્યો છે.
બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 56 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેમાંથી 22 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. 33 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે. બોટાદમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજયું છે. અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે બોટાદની આરોગ્યની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી છે અને કોરોના સામે લડવા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું છે.