ટ્વીટર પર ઘટ્યા કંગના રનૌતના ફોલોઅર્સ,અભિનેત્રીએ ખુદ કરી કબૂલાત
અહેવાલ: હેમાલી ભટ્ટ
૩૧ ઓગસ્ટ:અભિનેત્રી કંગના રનૌતે પોતાનુ ટ્વીટર એકાઉન્ટ વેરિફાઇડ કરાવ્યુ,કંગનાએ સ્વીકાર કર્યો કે તેના દરરોજ 40 થી 50 હજાર ફોલોઅર્સ ટ્વીટર પરથી ઘટી રહ્યાં છે.એક ટ્વીટર ફોલોઅર ફેને કંગનાના તેની ઘટી રહેલા ફોલોઅર્સ વિશે પુછ્યુ ત્યારે કંગનાએ જવાબ આપ્યો હતો,કંગનાએ નિશાન તાક્યુ કે -રાષ્ટ્રવાદીઓએ દરેક જગ્યાએ સંઘર્ષ કરવો પડે છે, આ એક ષડયંત્ર છે, કંગનાએ પ્રશંસકોની માફી માગતા કહ્યું- હું એવા લોકોની માફી માંગુ છુ જે ઓટોમેટિકલી અનફોલો થઇ રહ્યાં છે, હું તેમને આ રીતે રોકીશ નહીં.મહત્વનું છે કે સુશાંતના મોત બાદ કંગના રનૌત બૉલીવુડ માફિયા પર સતત શાબ્દિક પ્રહાર કરી રહી છે.