જયાએ પૂછપરછમાં ખોલ્યા અનેક રહસ્યો
જયા શાહાએ પાંચ જૂને કરી હતી સુશાંત સાથે અંતિમ વખત વાત,જયાએ પૂછપરછમાં ખોલ્યા અનેક રહસ્યો
૨૩ સપ્ટેમ્બર: સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ ટેલેન્ટ મેનેજર જયા શાહા સાથે એનસીબીએ સતત પૂછપરછ કરી.એનસીબીએ જયા સાથે ક્વાન મેનેજમેંટ કંપની વિશે પ્રશ્નો કર્યા.વર્ષ 2016થી જયા સુશાંતની ટેલેન્ટ મેનેજર હતી.જયાએ સુશાંતને 6 ફિલ્મો અપાવી હતી.જેમાં ડ્રાઈવ, સોનચીરિયા,કેદારનાથ, છિછોરે જેવી ફિલ્મો અપાવી હતી.
તેમજ 21 જેટલી બ્રાંડ એડોર્સમેન્ટ અને ઈવેંટ કરાવ્યા હતા.જયાએ એનસીબીને આપેલા નિવેદનમાં કહ્યું કે તેને સુશાંત સાથે છેલ્લી વાર પાંચ જૂનના વાત કરી હતી. અગાઉ જ્યારે તે માર્ચમાં સુશાંતને મળી હતી ત્યારે તેની તબિયત ઠીક નહતી લાગી. સુશાંત કુમાર મંગત સાથે ફિલ્મ કરવાના હતા અને તેની સ્ક્રિપ્ટ પણ સુશાંતને પસંદ આવી હતી.
અને સાઈનિંગ અમાઉંટ 12 કરોડની માગી હતી.જયાએ સુશાંતની મેનેજર દિશા સાલિયાન સાથે પણ કામ કર્યુ હતું.દિશા અને જયાએ એક વર્ષ સુધી ક્વાન મેનેજમેન્ટ કંપની માટે સાથે કામ કર્યું હતું.