બોલીવુડ સ્ટાર્સના નાર્કોટિક્સ ટેસ્ટ થયા તો અનેક પહોંચશે જેલ:કંગના રનૌત
કંગના રનૌતનું વિસ્ફોટક નિવેદન, બોલીવુડ સ્ટાર્સના નાર્કોટિક્સ ટેસ્ટ થયા તો અનેક પહોંચશે જેલ
અહેવાલ: હેમાલી ભટ્ટ
સુશાંતસિંહ કેસમાં ડ્રગ્સ વિવાદ સામે આવ્યો છે ત્યારે વધુ એક વિવાદ શરૂ થઇ ગયો છે. આ વિવાદ પર જ અભિનેત્રી કંગના એ ટ્વીટ કરી ફરી ફિલ્મી સિતારાઓને નિશાને લીધા છે. કંગનાએ નિવેદન આપ્યું કે જો બોલીવુડમાં નાર્કોટિક્સ ટેસ્ટ થયો તો અનેક સિતારાઓ જેલ ભેગા થશે. સુશાંત મામલે કંગનાએ અનેક વખત નિવેદનો આપી સમીકરણો બદલ્યા છે, હવે જ્યારે આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે ત્યારે બોલીવુડના એ લિસ્ટમાં સામેલ સીતારાઓ પર કંગનાએ સીધો વાર કર્યો છે.
અભિનેત્રીએ કહ્યું કે- હું આશા રાખું છું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બોલીવુડની આ ગટર પણ સાફ કરવામાં આવે. આ કેસમાં કંગનાના અગાઉ પણ વિસ્ફોટક નિવેદનો સામે આવ્યા છે. બોલીવુડ માફિયા જેવા શબ્દો પણ કંગનાએ આપ્યા છે.