સુશાંત સિંહ રાજપૂત મામલો,રિયા ચક્રવર્તી પર અભિનેતા ને ડ્રગ્સ આપવાનો આરોપ
અહેવાલ: હેમાલી ભટ્ટ
૨૬ ઓગસ્ટ:સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સથી જોડાયેલા કેટલાક તથ્યો સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એક કેસ નોંધ્યો છે. બ્યુરોએ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, જયા શાહા, શ્રુતિ મોદી અને ગૌરવ આર્યા સામે કેસ નોંધ્યો છે.હવે એનસીબીની ટીમ તપાસ માટે મુંબઇ જશે. આ મામલાની તપાસ દિલ્હી જોનલ ડાયરેક્ટર આઇપીએસ કે પી એસ મલહોત્રાની ટીમ કરી રહી છે. રિયા ચક્રવતી પર સુશાંતને ડ્રગ્સ આપવાનો આરોપ છે. અભિનેત્રી પણ ખુદ ડ્રગ્સ લેતી હોવાનો અને ડીલ કરતી હોવાનો આરોપ છે.
ઇડી એ અભિનેતાની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ કરી હતી,અને આ દરમિયાન ડ્રગ્સથી જોડાયેલા કેટલાક તથ્યો સામે આવ્યા હતા. ત્યારબાદ ઈડી એ સીબીઆઈ અને એનસીબીને કેટલાક પુરાવાઓ આપ્યા હતા. તો આ મામલે રિયાના વકીલે તમામ આરોપો નકાર્યા અને કહ્યુ કે -રિયા એ પોતાના જીવનમાં ક્યારેય પણ નશીલા પદાર્થોનું સેવન નથી કર્યું.તે બ્લડ સેમ્પલની તપાસ માટે પણ તૈયાર છે.