Sanjay Raut kangana

કંગનાનો સંજય રાઉત પર પલટવાર,ક્લિક કરી જાણો શુ કહ્યું અભિનેત્રીએ?

અહેવાલ: હેમાલી ભટ્ટ

૦૬ સપ્ટેમ્બર,બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને સંજય રાઉત વચ્ચે વિવાદ વધુ ઘેરાયો છે.શિવસેના નેતા સંજય રાઉત દ્વારા કંગના રનૌતને લઈને આપેલા વિવાદિત નિવેદનને લઈને અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે.કંગનાએ સોશલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમા તેણે કહ્યું-કે સંજય રાઉતજીએ જે અપશબ્દો બોલ્યા છે જેના બદલ દેશની દિકરીઓ ક્યારેય માફ નહીં કરે.કંગનાએ વધુમાં ઉમેર્યુ કે – તેને અભિવ્યક્તિની પૂરી સ્વતંત્રતા છે.મારા પોતાના દેશમાં હું ક્યાંય પણ જઈ શકું છું.હું સંપૂર્ણ આઝાદ છું.

Sanjay Raut kangana

કંગનાએ પોતાના વીડિયોમાં આમિરખાન પર પણ શાબ્દિક પ્રહાર કર્યો.કંગનાએ કહ્યું કે પોતે નવ સપ્ટેંબરના મુંબઈ આવી રહી છે.અને દેશની ગરિમા અને અસ્મિતા માટે તે બીજાની જેમ પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર છે.મહત્વનું છે કે અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કશ્મીર સાથે કરી હતી.ત્યારબાદ શિવસેના નેતા સંજય રાઉતે તેને મુંબઈ નહીં આવવાની ધમકી આપી હતી.એટલું જ નહીં શિવસેનાની મહિલા કાર્યકર્તાઓએ કંગના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.