ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

23 JUL 2020 by PIB Ahmedabad ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર),  ‘સ્પીડ પોસ્ટ ભવન’, શાહીબાગ, અમદાવાદ – 380 004ની કચેરી ખાતે તારીખ 28મી જુલાઈ, 2020(મંગળવાર)ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળીને તેનું નિવારણ કરવામાં આવશે. મુખ્યાલય ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો શ્રી વી. કે. દરજી, સહાયક નિદેશક ડાક સેવા (ડાક, સ્થાપના અને ભરતી), કંમ્પ્લેઈન્ટ સેક્શન, પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380 004ને મોડામાં મોડી તારીખ 24મી જુલાઈ, 2020 (શુક્રવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષય સમાવિષ્ટ ના હોવા જોઈએ.