WR Crossing: વિંઝોલ રેલ્વે ક્રોસિંગ 4 થી 6 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે

WR Crossing વિંઝોલ રેલ્વે ક્રોસિંગ નં. 305 કિ.મી. 486 / 26-28 ત્રણ દિવસ માટે સમારકામ અને જાળવણી કાર્ય માટે બંધ રહેશે.

 અમદાવાદ, ૦૨ ફેબ્રુઆરી: WR Crossing અમદાવાદ મંડળના અમદાબાદ-વટવા રેલખંડ પર વિંઝોલ રેલ્વે ક્રોસિંગ નં. 305 કિ.મી. 486 / 26-28 પર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા 04 ફેબ્રુઆરી 2021 સવારે 08.00 થી 06 ફેબ્રુઆરી 2021 સાંજે 20.00 વાગ્યા સુધી ત્રણ દિવસ માટે સમારકામ અને જાળવણી કાર્ય માટે બંધ રહેશે.

Whatsapp Join Banner Guj

માર્ગના વપરાશકારો આ સમયગાળા દરમિયાન આરઓબી જીઆઈડીસી (વટવા સ્ટેશનની ઉત્તર બાજુ) થી અવરજવર કરવા ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો…Election: વડાપ્રધાન મોદીની ભત્રીજીએ માંગી ચૂંટણી લાડવા ટિકિટ, જેને લઇ પીએમના ભાઇ પ્રહલાદ મોદીએ આપ્યુ નિવેદન