જામનગર વેલનાથ સોસાયટીમાં રાજકારણીઓને પ્રવેશબંધી ફરમાવાઈ જાણો શા માટે….
રિપોર્ટ:જગત રાવલ
૨૯ ઓગસ્ટ.જામનગરના હાપા વિસ્તારમાં આવેલી વેલનાથ સોસાયટી માં કોઈપણ રાજકીય પક્ષોએ પગ મુકવો નહીં મત માંગવા નહીં તેવા બેનર વેલનાથ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સોસાયટીના દ્વાર પર લગાવવામાં આવતા રાજકારણીઓ માં ચર્ચાનો વિષય બન્યું છે.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૧ હાપા વેલનાથ સોસાયટીના તમામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ, ગટર,સ્ટ્રીટ લાઈટ , વરસાદી પાણી ના નીકાલ, સફાઈ, પીવાના પાણી, આરોગ્ય આ તમામ બાબતે આ સોસાયટી ના રહેવાસીઓ ને તકલીફ છે, પણ કોઈપણ ચુંટાયેલા નગર સેવક કે જામનગર મહાનગરપાલિકાનાઅધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.