Sushant edited

સુશાંતના પરિવારના વકીલની પ્રેસ કૉંફ્રેંસ,વિકાસ સિંહે કર્યા શું મોટા ખુલાસા?

Sushant edited


અહેવાલ: હેમાલી ભટ્ટ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતને 105 દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે. સીબીઆઈએ પણ તપાસ હાથ ધર્યાના અનેક દિવસો થયા ગયા છે.એવામાં હજુ સુધી સીબીઆઈ તરફથી કોઈ નિવેદન ન આવતા સુશાંતસિંહના પરિવારે નારજગી વ્યક્ત કરી છે. સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે NCBની તપાસ સામે સવાલ ઊભા કર્યા હતા અને કહ્યું હતું કે આનાથી સત્ય સામે આવશે નહીં. હાલમાં તો મોટા-મોટા સ્ટાર્સની તપાસ થઈ રહી છે. પરંતુ કોઈ પણ સ્ટાર પાસેથી ડ્રગ્સ મળ્યું નથી.

loading…

CBI ટીમ હજી સુધી AIIMSની ટીમને કેમ મળી નથી કે CBIએ કોઈ પ્રેસ સ્ટેટમેન્ટ પણ રિલીઝ કર્યું નથી. તપાસમાં ઘણું જ મોડું થઈ રહ્યું છે. સાથે જ સુશાંતના પરિવારના વકીલે દાવો કર્યો કે સુશાંતના મોતના દીવસે તેની બહેન મીતુસિંહ સુશાંતના પાર્થિવ શરીરની જે તસ્વીરો લીધી હતી તેને એઈમ્સના ડોક્ટરને બતાવી ત્યારે ડોક્ટરે તસવીરો જોઈને 200 ટકા દાવો કર્યો કે આ સ્યૂસાઈડનો નહીં પણ ગળું દબાવીને હત્યા કરવાનો કેસ છે.