Shahid bhavnagar

આસામ બટાલિયનના સૈનિક શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલને અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ

શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ
પપાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

અમદાવાદ,૦૩ ઓગસ્ટ:આસામ બટાલિયન માં ફરજ બજાવતા ભાવનગરના ભંડારિયા ગામના વતની હવલદાર શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલના હૃદયરોગના હુમલાના પગલે દુઃખદ અવસાન થયું છે. તેઓનો પાર્થિવદેહ આજે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો.

શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ એરપોર્ટ ખાતે શહીદ શક્તિસિંહના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સ્વ. શક્તિસિંહ ભારતીય સેના માં ઇલેક્ટ્રોનિક અને મિકેનિકલ એન્જિનિયર કોર્પસમાં સેવા આપી રહ્યા હતા. તા ૩૧ જુલાઈના રોજ ઉદયરોગના હુમલાના કારણે તેનું દુઃખદ અવસાન થયું હતું.

સ્વર્ગસ્થના પાર્થિવદેહને અમદાવાદ થી તેમના વતન લઈ જવાયો હતો આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી કે. કે નિરાલા અને આર્મીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.