જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તાલુકા કોંગ્રેસ એ આપ્યું આવેદનપત્ર
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર,૨૩ સપ્ટેમ્બર,જામનગર તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચના મુજબ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ નો તાલુકા સંમેલન અને ત્યાર બાદ ગ્રામ્ય મામલતદાર ને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા જવા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,
આ કાર્યક્રમ માં જામનગર જિલ્લા/તાલુકા પંચાયત ના ચુંટાયેલા અને ચુંટણી લડેલા દરેક સદસ્યઓ તથા દરેક સેલ મોરચા ના પ્રમુખઓ તથા મહિલા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો સહિત જુમાભાઈ રાયમા પ્રભારી,જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ કણૅદેવસિહ જાડેજા કાયૅકારી પ્રમુખ, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ, ઉપેન્દ્ર સિંહ જાડેજા, પ્રમુખ, કે.પી.બથવાર મહામંત્રી (સંગઠન), સહરાબેન મકવાણા, જેનમબેન ખફી અને કલ્પેશ હડિયલ ઓ.બી.સી.સેલ પ્રમુખ સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા.