ધ્રાંગધ્રા પાસ સમિતિ દ્વારા સૃષ્ટિ રૈયાણી (Srishti Raiani) ના હત્યારાને જલ્દી ફાંસી ની સજા થાય તેવી માંગ કરી છે
Srishti Raiani: દીકરી ના પરીવાર ને ન્યાય મળે તેવી ઝડપી કાર્યવાહી કરવામાં આવે નહીં તો આગળ ના દિવસો મા ઉગ્ર આંદોલન કે ધરણા જેવા કાર્યક્રમો કરવા ની ચીમકી ઉચ્ચારી છે.
ધ્રાંગધ્રા, ૨૨ માર્ચ: ધ્રાંગધ્રા પાસ સમિતિ દ્વારા જેતપુર તાલુકાના જેતલસર ગામ ખાતે ૧૬વર્ષની નિર્દોષ કુ. સૃષ્ટિ રૈયાણી (Srishti Raiani)ના હત્યારાને ફાંસી આપવામાં આવે, જેથી કરીને આવા હરામી અને લુખ્ખા તત્વોને શાન ઠેકાણે આવે. આ દીકરીને અને તેના પરિવારને ન્યાય અપાવવા માટે ધ્રાંગધ્રા તાલુકા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું અને આ હત્યારા ને જલ્દી ફાંસી ની સજા થાય તેવી માંગ કરી છે
આવેદનપત્ર આપવા માટે ધ્રાંગધ્રા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પાટીદાર સમાજ ના યુવાનો હાજર રહ્યા હતા અને સૃષ્ટિ રૈયાણીના હત્યારાને કડક મા કડક સજા મળે અને દીકરી (Srishti Raiani) ના પરીવાર ને ન્યાય મળે તેવી ઝડપી કાર્યવાહી કરવામાં આવે નહીં તો આગળ ના દિવસો મા ઉગ્ર આંદોલન કે ધરણા જેવા કાર્યક્રમો કરવા ની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો…આ કારણે દમણ અને સેલવાસ(Daman and Silvassa)માં બંધનું એલાન સાથે 144ની કલમ લાગુ