રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ ને લઈ શંકરસિંહ વાઘેલા (Shankarsinh vaghela) આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા
આગામી 4 અને 5 એપ્રિલે અંબાજી થી શરૂ થનારા રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ ને લઈ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા (Shankarsinh vaghela) આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૭ માર્ચ: દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના અગ્રણી નેતા રાકેશ ટિકૈત બે દિવસ ના ગુજરાત પ્રવાસને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા (Shankarsinh vaghela) આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા હતા અને અંબાજી ખાતે આવેલા સર્કિટ હાઉસમાં રાજકીય નેતાઓ સાથે બેઠક યોજી આગામી 4 અને 5 એપ્રિલે અંબાજી થી શરૂ થનારા રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ અને આંદોલન અંગે રણનીતિ ઘડી હતી.
અંબાજી માં માતાજી ના દર્શન કર્યા બાદ રાકેશ ટિકૈત ખેડૂતોને સંબોધન કરશે અને ત્યાર બાદ બનાસકાંઠા જીલ્લા નો પ્રવાસ શરુ કરશે રાકેશ ટીકૈતના ગુજરાત પ્રવાસને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ. (Shankarsinh vaghela)સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે દિલ્લી થી ખેડૂત આંદોલન હવે ગુજરાત તરફ આવી રહ્યુ છે. ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે. બનાસકાંઠાના ખેડૂતોને સરકારે એક બાજુ બટાકુ નાંખો અને બીજી બાજુથી ચિપ્સ નીકળશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે તેવા વાયદા કર્યા હતા. પરંતુ બટાકાના ભાવ ન મળતા બનાસકાંઠાના ખેડૂતો બટાકા રોડ પર નાખી રહ્યા છે.
અંબાજી થી માં અંબાના દર્શન કર્યા બાદ શરૂ થનારા ગુજરાત પ્રવાસમાં અંબાજી બાદ રાકેશ ટિકૈત પાલનપુર જશે. જ્યાં રાકેશ ટિકૈત સામે ખેડૂતો બટાકાના ટ્રેકટરો ભરી ને આવશે અને તે બટાકા વડાપ્રધાનને મોકલવામાં વિનંતી કરવામાં આવશે. શંકરસિંહ વાઘેલા (Shankarsinh vaghela) એ વધુમાં કહ્યું હતું કે સરકાર ને અમારા કાર્યક્રમો ભારે પડતા હોય તો થાય તે કરીલે…. અમે પરમીશન માંગીશુ. . તે આપવી ન આપવી તેમની મરજી પણ અમારા કાર્યક્રમો થશેજ. .
રાકેશ ટિકૈતના પ્રવાસની પ્રશાસન પરવાનગી આપે કે ન આપે પરંતુ આ ખેડૂતો માટેનું આંદોલન છે અને ગુજરાતમાં આ પ્રવાસ યોજાશે જ.એટલુજ નહીબનાસકાંઠા ના પ્રવાસ બાદ 5 એપ્રીલે અમદાવાદ ગાંધી આશ્રમ અને બારડોલી જશે.તેમ પ્રુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ જણાવ્યુ હતુ.
આ પણ વાંચો…આમિર ખાન, સચીન તેંદુલકર બાદ આ અભિનેતા આવ્યા કોરોના પોઝિટિવ- થોડા સમય પહેલા જ લીધી હતી વેક્સિન