રાત્રી કરફ્યુના કારણે રાજકોટ, અમદાવાદ સુરત વડોદરા ના બદલાયા છે એસ ટી ના નિયમો જાણો…..
અમદાવાદ, ૨૩ નવેમ્બર: ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટની સ્થિતી જોવા મળી રહી છે. હવે આગામી આદેશ સુધી રાત્રી કર્ફ્યૂ લગાવાયો છે. રાજ્યના મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ લગાવાયો છે.
જેના પગલે ST દ્વારા રાત્રી બસોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. 9 થી 6 કલાક સુધી એસટી બસ સેવા બંધ રહેશે. સવારના 7 વાગ્યાથી રાતના 8 કલાક સુધી બસ સેવા ચાલુ રહેશે. અમદાવાદથી રાત્રી દરમિયાન આવતી જતી 450 બસ બંધ રહેશે. બસોનું સંચાલન પ્રકારે જ કરવામાં આવશે કે રાત્રે 9 વાગ્યા પહેલા બસ પહોંચે તે પ્રકારે જ સંચાલન કરવામાં આવશે. અથવા તો એવી બસો કે જે રાત્રી કર્ફ્યૂ ન હોય તેવા શહેરોમાં જતી બસોને બાયપાસ દ્વારા મોકલાશે.
જીએસઆરટીસી દ્વારા વિવિધ ડેપોની અલગ અલગ બસો બંધ કરવામાં આવી છે. હથીજન સર્કલ, અડાલજ ચોકડી, સનાથલ ચોકડી,એક્સપ્રેસ હાઇવે ,અસલાલી, કોબ સર્કલથી બાય પાસ જતી બસ મળશે.
વડોદરા, દુમાંડ ચોકડી,કપુરાય ચોકડી, ગોલ્ડન ચોકડી,જીએનએફસી,છાણી જકાત નાકા થી બસ સેવા મળશે. સુરત મરોલી ચોકડી,કડોદરા ચોકડી,કામરેજ ચોકડી,ઓલપાડ ચોકડી. રાજકોટ ગોંડલ ચોકડી,હજીડેમ ચોકડી, ગ્રીનલેન્ડ,માધાપર ચોકડી પરથી રાત્રી દરમિયાન બસ મળશે. બાય પાસ પિકઅપ પોઇન્ટ નક્કી કરાયા છે. રાત્રી દરમિયાન નક્કી કરાયેલ પોઇન્ટ પર એસટી નિગમ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.