22 ઓગષ્ટ થી ખોડિયાર- ગાંધીનગર વચ્ચેનો રેલવે ક્રોસિંગ નં. 12 બંધ રહેશે.

Western Railway

અમદાવાદ,૧૯ ઓગસ્ટ:અમદાવાદ ડિવિઝન પર ખોડિયાર – ગાંધીનગર રેલવે વિભાગ વચ્ચેની 521/13-14 કિમી પર સ્થિત રેલવે  ક્રોસિંગ નં.12 ને 522/6-7 કિમી પર સ્થિત  રેલવે ક્રોસિંગ નં. 13 ‘બી1’ સાથે જોડવામાં આવી રહેલ છે. તે મુજબ, 22 ઓગષ્ટ, 2020 થી રેલવે ક્રોસિંગ 12 કાયમી ધોરણે બંધ રહેશે. ઉપરોક્ત સમયગાળા બાદ માર્ગ ઉપયોગકર્તા રેલવે ક્રોસિંગ 13 થી અવરજવર કરી શકે છે.