કૃષિબીલ નો વિરોધ ભારતની પ્રગતિમાં અવરોધ રૂપ હોવાનું જણાવતા કૃષિમંત્રી ફરદૂ
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૯ ડિસેમ્બર: જામનગર શહેર ભાજપ કાર્યાલય પરકેબિનેટ કૃષિમંત્રી આર.સી. ફરદુ ની પ્રેસ કોનફરન્સ યોજવામાં આવી હતી. કૃષિ બિલ મુદ્દે યોજાઈ પ્રેસ કોનફરન્સમાં કૃષિમંત્રી દ્વારા ખેડૂતો ના હિત માં બિલ હોવાનું જણાવાયું હતું.કેન્દ્ર સરકાર દ્વારા માત્ર એક જ કેલેન્ડર વર્ષમાં ગુજરાતને મળી રૂપિયા 31941 કરોડ ની સબસીડી છે.
કૃષિ બિલ ખેડૂતો ના હિત માં હોવાનો અને બિલ દ્વારા ખેડૂતો ની ફસલ સમગ્ર દેશ માં વેચી શકવાનો લાભ મળશે. આ પ્રેસ કોનફરન્સ માં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જીલા પ્રમુખ રમેશભાઈ મુંગરા સહિત આગેવાનો હાજર રહ્યા હતા.