અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક સરળતાએ ઉપલબ્ધ કરાવાશે સરકાર
- મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય
- ગુજરાતમાં ૧ ઓગસ્ટથી જાહેરમાં માસ્ક નહિ પહેરનારા-જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી પ૦૦ રૂપિયા દંડ લેવાશે
- નાગરિકો-પ્રજાજનોને રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક સરળતાએ ઉપલબ્ધ કરાવાશે
- ૧૦ રૂપિયામાં પાંચ માસ્કના પેકિંગમાં માસ્ક મળશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી તા. ૧ ઓગસ્ટ-ર૦ર૦ શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
હાલ આ દંડની જે રકમ ર૦૦ રૂપિયા છે તે તા. ૧ ઓગસ્ટથી પ૦૦ રૂપિયા કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો, પ્રજાજનોને સરળતાથી માસ્ક ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યભરના અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયાની કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.
આ માસ્ક રૂ. ૧૦ ની કિંમતે પાંચ માસ્કના પેકિંગમાં જાહેર જનતાને અમૂલ પાર્લર પરથી મળી રહે તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીશ્રીએ આપ્યા છે.
તેમણે સમગ્ર રાજ્યમાં તા. ૧ ઓગસ્ટથી આ દંડની જોગવાઇઓનો ચુસ્તપણે અમલ કરવા પણ તંત્રવાહકોને સૂચના આપી છે.
રિપોર્ટ: ઉદય વૈષ્ણવ, સી. એમ. પીઆરઓ