નોન ઇન્ટરલોકિંગ (Non-interlocking) કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની 12 ટ્રેનોને અસર થશે
ધાંગધ્રા-સામાખ્યાલી સેકશન પર નોન ઇન્ટરલોકિંગ (Non-interlocking)કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે.
અમદાવાદ , ૨૦ માર્ચ: અમદાવાદ ડિવિઝનના ધાંગધ્રા-સામાખ્યાલી સેકશનના સુરવરી, માલિયા મિયાના અને ધાંગધ્રા સ્ટેશનો વચ્ચે નોન ઇન્ટરલોકિંગ (Non-interlocking) કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે: –
1. ટ્રેન નંબર 04311 બરેલી-ભુજ સ્પેશિયલ 20 અને 23 માર્ચ 2021 ના રોજ ડાયવર્ટ રૂટ પાલનપુર – ભીલડી – સામાખ્યાલી થઈને ચાલશે.
2. ટ્રેન નંબર 09336 ઇન્દોર-ગાંધીધામ સ્પેશિયલ 21 માર્ચ 2021 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે રદ રહેશે.
3. ટ્રેન નંબર 09003 બાંદ્રા ટર્મિનસ – ભુજ સ્પેશિયલ 21 માર્ચ 2021 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ભુજ વચ્ચે રદ રહેશે.
4. ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગલુરુ-ગાંધીધામ સ્પેશિયલ 20 માર્ચ 2021 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે રદ રહેશે.
5. ટ્રેન નંબર 01192 પુણે – ભુજ સ્પેશિયલ 22 માર્ચ 2021 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ અને ભુજ વચ્ચે રદ રહેશે.
6. ટ્રેન નંબર 09335 ગાંધીધામ – ઇન્દોર સ્પેશિયલ 22 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી ઇન્દોર માટે ચાલશે તથા ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.
7. ટ્રેન નંબર 09004 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 22 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી બાંદ્રા ટર્મિનસ માટે ચાલશે તથા ભુજ અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.
8. ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગલુરુ સ્પેશિયલ 23 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી કેએસઆર બેંગલુરુ માટે ચાલશે તથા ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે રદ કરવામાં આવશે.
9. ટ્રેન નંબર 01191 ભુજ-પુણે સ્પેશિયલ 24 માર્ચ 2021 ના રોજ અમદાવાદ થી પુણે માટે ચાલશે તથા ભુજ અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.
10. ટ્રેન નંબર 04312 ભુજ – બરેલી સ્પેશિયલ 23 અને 24 માર્ચ 2021 ના રોજ ડાઈવર્ટ રૂટ સામાખ્યાલી – ભીલડી – પાલનપુર થઇને ચાલશે તથા ભુજથી 17:05 વાગ્યે ચાલશે.
11. ટ્રેન નંબર 09116/09115 ભુજ-દાદર- ભુજ સ્પેશિયલ 21 થી 23 માર્ચ 2021 સુધી સંપૂર્ણ રદ રહેશે.
12. ટ્રેન નંબર 02974 પુરી – ગાંધીધામ સ્પેશિયલ 20 માર્ચ 2021 ના રોજ અને ટ્રેન નંબર 02973 ગાંધીધામ – પુરી સ્પેશિયલ 24 માર્ચ 2021 ના રોજ અમદાવાદ – ગાંધીધામ – અમદાવાદ વચ્ચે આંશિક રુપે રદ રહેશે.
પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ