NDRF 3

જામનગરમાં ભારે વરસાદના પગલે એન.ડી.આર.એફ ની ટીમ તૈનાત….

NDRF 3

રિપોર્ટ:જગત રાવલ, જામનગર
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ભરમાં આગામી પાંચ દિવસ માટે અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે ત્યારે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફ ની એક ટિમ જામનગર ખાતે તૈનાત કરવામાં આવી છે

NDRF 4

હવામાન વિભાગ દ્વારા જામનગર અને સૌરાષ્ટ્રભરમાં આગામી 5 દિવસ માટે અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્યારે જામનગર માં ભારે વરસાદ ના કારણે નદી માં પૂર કે વધુ પડતાં પાણી ભરાઈ જતાં વિસ્તારો માંથી લોકો ને બચાવવા માટે એનડીઆરએફ ના 25 જવાનો ની એક ટિમ જામનગર ખાતે તૈનાત કરવામાં આવી છે

હાલાર પંથક માં પૂર ની પરિસ્થિતી અથવા કોઈપણ કુદરતી આપતી નું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટે એનડીઆરએફ ના 25 જેટલા જવાનો જામનગર માં તૈનાત રાખવામા આવ્યા છે આ ઉપરાંત એનડીઆરએફ ના જવાનો પણ પાણી ની ઈલેકટ્રિક બોટ, અંડર વોટર કેમેરાઅને લાઈફ જેકેટ જેવા આત્યાધુનિક સાધનો થી પૂરી તૈયારીઓ કરી છે