Dhanvantari 4

ઉપલેટા જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા ૨૪ હજારથી વધુ લોકોની થઇ આરોગ્ય તપાસ

ધન્વંતરી રથનો એક જ મંત્ર : માનવતાસભર સંભાળ સાથે કોરોનાને આપીશું મ્હાત

ઉપલેટા જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા તા. ૩૦ સુધીમાં ૨૪ હજારથી વધુ લોકોની થઇ આરોગ્ય તપાસ

અહેવાલ:રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ,૦૨ સપ્ટેમ્બર : રાજ્ય સરકાર દ્વારા કોવીડ – 19 ની મહામારીમાં રાજ્યના નાગરિકોને કોરોના સામે રક્ષિત કરવાં અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. કોવિડ કેર સેન્ટર, ધન્વંતરી રથ, સંજીવની રથ જેવી અનેક પ્રકારની સુવિધાઓ સાથે લોકોના આરોગ્યની રક્ષા કાજે વહીવટીતંત્ર તેમજ આરોગ્યકર્મીઓ ચોવીસે કલાક કાર્યરત છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે હાલ ૪ ધન્વંતરી રથ કાર્યરત છે. આ રથ દ્વારા તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ઉપલેટા તાલુકાના અંદાજે ૨૪,૭૧૫ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. ધન્વંતરી રથ દ્વારા લોકોના ઘરઆંગણે જઈને તેમની સંભાળ લેવામાં આવે છે. 

 ઉપલેટા ખાતે ધન્વંતરી રથ સાથે સંકળાયેલા ડૉ. રંજનબેન ઊંધાડે રથની કામગીરી વિશે વિગતે વાત કરતાં જણાવ્યું હતું કે, “ઉપલેટા તાલુકામાં ધન્વંતરી રથ દ્વારા માત્ર આરોગ્ય તપાસની કામગીરી જ નહીં પરંતુ નાની-મોટી સમસ્યા ધરાવતા દર્દીઓને માનસિક સધિયારો પણ પૂરો પાડવામાં આવે છે. રથ મારફતે તપાસેલાં લોકોનાં નામ, ઉંમર તેમજ સરનામાં સહિતનું રજીસ્ટર જાળવવામાં આવે છે. ધન્વંતરી રથની વિશેષ કામગીરી અન્વયે ઉકાળાના પેકેટ ઘરે આપવાને બદલે લોકો તેનું સેવન ચોક્કસપણે કરે તે હેતુસર તાલુકામાં દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે ઉકાળો તૈયાર કરી લોકોને ઘરે ઘરે જઈને પીવડાવવામાં આવે છે. દરેક રથમાં કાર્યરત આરોગ્યકર્મીઓ દ્વારા લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું, કોરોનાથી કેમ બચવું અને તંદુરસ્તીની સંભાળ કેમ લેવી જેવી તમામ બાબતો વિશે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવે છે. 

 રથની કામગીરી અન્વયે હોમાઇસોલેટેડ વ્યક્તિઓની મુલાકાત લઈ તેમનું ટેમ્પરેચર, પલ્સ તપાસી તેમને યોગ્ય સારવાર અર્થે રાજકોટ સુધી રીફર કરી આપવાની કામગીરી પણ કરવામાં આવે છે. ઉપલેટા તાલુકાના વિવિધ ગામોમાં ધન્વંતરી રથની કામગીરીમાં જોડાયેલા ડૉ. રંજનબેન ઊંધાડ સહિત ડૉ.પૂજાબેન કામાણી,  ડૉ.મહેશભાઈ રાઠોડ, ડૉ.મિતલબેન ઠુમ્મર, ફોરમબેન જાગાણી પોતાની ટીમ સાથે ગ્રામલોકોના આરોગ્યની સંભાળ માટે કર્તવ્યનિષ્ઠા સાથે ફરજ બજાવી રહ્યાં છે

Reporter Banner FINAL 1