Journalist family vaccine

Jamnagar journalists: જામનગર પત્રકારો એ સહપરિવાર મુકાવી કોરોના ની રસી

મુખ્યમંત્રી વિજયભાઈ ની અપીલને લઈ જામનગરમાં પત્રકારો (Jamnagar journalists) માટે ખાસ વ્યવસ્થા કરાઈ

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૨ એપ્રિલ:
Jamnagar journalists: રાજ્ય માં વધતાં જતાં કોરોના ના કેસ ની સામે સઘન વેકસીનેશન દ્વારા રક્ષણ મેળવવાના હેતુસર અનેક સ્થળો પર વેકસીનેશન આપવાનું શરૂ થયું છે ત્યારે જામનગર માં પણ જામનગર મહાનગર પાલિકા ના ફાયરસ્ટેશન ખાતે જામનગર ના પત્રકારો એ પરિવાર સહિત કોરોના ની વેકસીન લીધી હતી

ADVT Dental Titanium

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય ના પત્રકારો ને ફ્રંટલાઇન વોરિયર તરીકે કોરોના ની વેક્સિન મૂકાવા માટે અપીલ કરી હતી મુખ્યમંત્રી વિજયભાઇ ની આ અપીલ ને અનુસંધાને જામનગર માં જામનગર પત્રકાર મંડળ (Jamnagar journalists) ના હોદેદારો અને તેમના પરિવારજનોએ મહાનગર પાલિકા દ્વારા શરૂ કરાયેલ વેકસીનેશન સેન્ટર માં જઈને કોરોના રોગ સામે કવચ રૂપી વેકસીન મુકાવી હતી પત્રકાર મંડળ ના પ્રમુખે જણાવ્યુ હતું કે રાજયસરકાર અને જામનગર વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…Festivals: ચૈત્ર નવરાત્રી, હનુમાન જયંતી, મહાવીર જયંતી જેવા ધાર્મિક તહેવારો એપ્રિલ મહિનામાં આવી રહ્યાં છે- જાણો તીથી તારીખ વિશે