જામનગરમાં હજારો ફૂટ જગ્યા પર ખડકી દેવાયું ગેરકાયદેસર બાંધકામ જાણો પછી શું થયું…
જગત રાવલ,જામનગર,૧૪ જુલાઈ ૨૦૨૦
જામનગરના રણજીતસાગર રોડ પર મારું કંસારા ની વાડી નજીક સરકારી ખરાબાની હજારો ફુટ જમીનમાં પર કરવામાં આવેલું ગેકાયદે દબાણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું
મારૂ કંસારા વાડીની બાજુમાં આવેલી સરકારી ખરાબાની અંદાજે દોઢ વિઘા જેટલી જમીનમાં ગેરકાયદે ઉભા કરાયેલા પશુઓના તબેલા અને ઓરડાનું બાંધકામ આજે સીટી મામલતદારની આગેવાની હેઠળ જામ્યુકોની એસ્ટેટ શાખાની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું.અને દોઢ વિઘા જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ દબાણ કોર્પોરેટર મરીયમબેન સુમરા અને પુત્રો દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું રહ્યું છે, આ પાડતોડની કાર્યવાહી વખતે કોર્પોરેટર અને તેના પુત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાડતોડ ની કામગીરી અટકાવવા અંગે અધિકારીઓ અને મહિલા નગર સેવિકા અને તેના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.