દેશમાં કોરોના નો કહેરથી રાહતના સમાચાર જાણો વિગત
સતત છેલ્લા 5 અઠવાડિયાથી સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતાં વધુ
સક્રિય કેસમાં સતત ઘટાડો ચાલુ; આજે 5.2 લાખ છે
06 NOV 2020 by PIB Ahmedabad
દેશમાં છેલ્લા 24 કલાકમાં 50,000 કરતા ઓછા નવા કેસ નોંધાયા છે જ્યારે દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા 54,000થી વધી ગઈ છે. ભારત છેલ્લાં પાંચ અઠવાડિયાથી સતત નવા કેસ કરતાં વધુ સાજા થયેલા કેસની સંખ્યા નોંધાવી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 54,157 કોવિડ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે જ્યારે હાલમાં નવા પુષ્ટિ થયેલા કેસ 47,638 છે.
છેલ્લા 5 અઠવાડિયાથી દૈનિક નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં 73,૦૦૦થી વધુ સરેરાશ દૈનિક નવા કેસ નોંધાતા હતા જે ઘટીને સરેરાશ દૈનિક નવા કેસ 46,૦૦૦ કેસ થયા છે.
સતત વધી રહેલી સાજા થયેલા કેસની સંખ્યાના પરિણામે સક્રિય કેસ પણ સતત ઘટાડાના માર્ગ પર છે. સક્રિય કેસ આજે 5,20,773 છે. સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 6.19% છે.
સક્રિય કેસના ઘટતા વલણને વધુ પ્રમાણમાં સાજા થયેલા કેસ દ્વારા ટેકો મળી રહ્યો છે. કુલ સાજા થયેલા કેસ 7,765,966 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર 72.5 લાખ (72,45,193) ની નજીક છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર વધુ સુધરીને 92.32% થયો છે
નવા સાજા થયેલા કેસમાંથી 80% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.
11000થી વધુ એક દિવસમાં સાજા થયેલા કેસની સંખ્યા સાથે મહારાષ્ટ્રનું મહત્તમ યોગદાન છે.
નવા કેસમાંથી 79% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના છે.
મહારાષ્ટ્રમાં 10,૦૦૦થી વધુ નવા કેસ સાથે નવા કેસની સંખ્યા ખૂબ જ વધી રહી છે, ત્યારબાદ કેરળમાં 9000થી વધુ કેસ નોંધાયા હોવાનો અહેવાલ મળ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 670 લોકોના મૃત્યુ થયા છે.
જેમાંથી દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 86% જેટલા લોકોના મૃત્યુ થયા છે. નવા મૃત્યુઆંકમાંથી 38%થી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં (૨૫૬ મૃત્યુ) થયા છે. દિલ્હીમાં 66 લોકોના મૃત્યુ થયા છે.