WhatsApp Image 2020 08 17 at 3.04.28 PM

અંબાજી મંદિર પાસે, ભાગળ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી

કોરોના મહામારીને ધ્યાનમાં લઈ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને દેશભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ

WhatsApp Image 2020 08 17 at 3.04.28 PM

સુરત:રવિવાર: અંબાજી મંદિર પાસે, ભાગળ ખાતે જાગૃત્ત નાગરિકો દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં લઈ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને દેશભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દેશની આન, બાન અને શાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. જેમાં નિતાબેન મહેતા તેમજ દિનેશ ભાટી, શંશાકભાઈ સીંગવાલા, ઋત્વિજભાઈ મેહતા, ધર્મેશભાઈ જરીવાલા, તેજસભાઈ ટોપીવાળા, આશુતોષભાઈ, ભાવેશભાઈ, રમેશભાઈ રાવલ, મહેન્દ્રભાઈ સહિતના સ્થાનિક જાગૃત્ત નાગરિકો ઉજવણીમાં જોડાયા હતા.