Dr Shyama Prasad Mukherjee JMC

વોર્ડ નંબર 2માં બલિદાન દિવસે શ્યામા પ્રસાદ મુખરજી (Dr Shyama Prasad Mukherjee) ને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા.

Dr Shyama Prasad Mukherjee: શહેર ભાજપ પ્રમુખ, પ્રભારી અને કોર્પોરેટર સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૩ જૂન:
Dr Shyama Prasad Mukherjee: ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમીતે વોર્ડ ના મંત્રી પી.એલ.વસાણીયા ના ઘરે (રામેશ્વર નગર) ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ને શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પાંજલિ અર્પણ કરવા માટે નો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો, તેમા જામનગર શહેર ના પ્રભારી અભયભાઇ ગોહિલ. શહેર પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…AIIMS Rajkot: ડિસેમ્બરથી ઓ.પી.ડી. અને જૂન – ૨૦૨૨ માં ૫૦ બેડની ઇન્ડોર પેશન્ટની સારવારના થશે શ્રીગણેશ

સાથે શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા. પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ શહેર મંત્રીઓ દિલીપસિંહ કંચવા ભાવિષાબેન ઘોળકિયા કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, ડિમ્પલબેન રાવલ પૂર્વ કોર્પોરેટર આલાભાઇ રબારી વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ મહામંત્રી સી.એમ.જાડેજા વોર્ડ મંત્રી પી.એલ. વસાણીયા.વિશાલસિહ ચુડાસમા.અરૂણાબા જાડેજા. ના વષાઁબેન રાઠોડ. ઉષાબા જાડેજા સહિત બુથ પ્રમુખો બુથ ના મંત્રીઓ સક્રિય કાર્યકર્તાઓ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી ડો.શ્યામા પ્રસાદ મુખર્જી (Dr Shyama Prasad Mukherjee) ને પુષ્પાજંલી અર્પણ કરેલ હતી

આ કાર્યક્રમમાં શહેર પ્રભારી અભયભાઇ ગોહિલ પહેલીવાર વોર્ડ નં.- ૨ મા કાર્યક્રમ મા ઉપસ્થિત રહેલ હોય તેઓ નુ વોર્ડ નં.- ૨ ભાજપ પરીવાર તરફથી ડો.વિમલભાઇ કગથરા શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, જ્યેન્દ્રસિંહ ઝાલા, આલાભાઈ રબારી વિગેરે દ્વારા શહેર સંગઠન ના હોદેદારો ની ઉપસ્થિત મા સન્માન કર્યું હતુ.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.