રાજપીપલા સિંચાઇ યોજના ના વિવાદાસ્પદ. કાર્યપાલક ઈજનેર ની આખરે થઇ બદલી.

Whatsapp Join Banner Guj

કેવડિયા મુકામે રાષ્ટ્રપતિ. ના કાર્યક્રમ વખતે ફરજ માં બેદરકારી બદલ તંત્ર એ નોટિસ ફટકારી હતી

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૨૧ જાન્યુઆરી: રાજપીપલા ની કરજણ સિંચાઈ યોજના. વિભાગ -4 ના કાર્યપાલક ઈજનેર. જે ડી વાઘેલા ની સરકારે આખરે બદલી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ સિંચાઈ યોજના -4 ના કાર્યપાલક ઈજનેર વિરુદ્ધ અનેકવિવાદો અને ફરિયાદો હતી અને ચીફ એન્જિનિયર સુધી ફરિયાદો. પહોંચી હતી ત્યારે ગત નવેમ્બર મહિના માં કેવડિયા મુકામે. મહામહિમ રાષ્ટ્રપતિ ના કાર્યક્રમ ના આયોજન સમયે ફરજ માં બેદરકારી બદલ તંત્ર એ નોટિસ ફટકારી હતી અને ઉચ્ચ કક્ષા એ. સામાન્ય વહીવટ વિભાગ ને પણ જાણ કરી કાર્યપાલક ઈજનેર નો ખુલાસો માંગ્યો હતો

GEL ADVT Banner

તેમજ સિંચાઈ યોજના વિભાગ -4 ના કર્મચારીઓ. એ પણ આ અધિકારી ના વર્તન થી કંટાળી સામુહિક. બદલી ની માંગણી. કરી હતી ત્યારે સરકારે આ. બાબતે ગંભીર નોંધ લઇ કાર્યપાલક ઈજનેર જે ડી વાઘેલા ની. નર્મદા યોજના પુનઃ વસવાટ બાંધકામ વિભાગ માં બદલી કરી.વહીવટી તંત્ર માં સબકરુપ દાખલો બેસાડયો છે જયારે આ બદલી. થી. રાજપીપલા સિંચાઈ વિભાગ ના કર્મચારીઓ માં આનંદ ની લાગણી ફેલાઈ છે.

આ પણ વાંચો…હવે ધો.3થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા વોટ્સએપનાં માધ્યમથી લેવાશે, શિક્ષણ વિભાગે જાહેર કર્યો નંબર- વાંચો રજીસ્ટ્રેશન વિશે સંપૂર્ણ મીહિતી