Ayurved Hospital openning GG hospital 4

જામનગરની જી.જી.હોસ્પીટલમાં કોવીડ હોસ્પીટલમાં વૈકલ્પિક સારવાર માટે આયુર્વેદ-હોમીયોપેથ સારવાર શરૂ કરાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૯ સપ્ટેમ્બર: અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની તાજેતરની જામનગરની મુલાકાત દરમ્યાન સમીક્ષા બેઠકમા નકકી થયા અનુસાર જામનગરની જી.જી.હોસ્પીટલમાં કોવીડ હોસ્પીટલના ગ્રાઉન્ડ ફલોરમા આજ રોજથી વૈકલ્પિક સારવાર માટે આયુર્વેદ-હોમીયોપેથ સારવાર પણ શરુ કરવામાં આવી છે.

જાહેર જનતા માટે આ ઑ.પી.ડી.નો સમય સવારે ૯.૦૦ થી સાંજે પ.૦૦ કલાક સુધીનો રહેશે. આ ઑ.પી.ડી.માં આયુર્વેદ અને હોમીયોપેથીના તજજ્ઞો સેવાઓ આપશે. આજ રોજ આ ઓપી.ડો.નો પ્રારંભ કલેકટર રવિશંકરના હસ્તે કરવામાં આવ્યો હતો.

આ સુવિધાનો જામનગર જીલ્લાના લોકો આ પ્રાચિન વિજ્ઞાનની અમુલ્ય સારવારનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તકે કલેકટર રવિશંકર દ્વારા હેલ્પડેસ્કની પણ મુલાકાત લેવામાં આવી હતી.
આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના કમિશ્રનર સતીષ પટેલ, આયુર્વેદ યુનિ.ના વાઇસચાન્સેલર અનુપ ઠાકર, કોવીડ હોસ્પીટલ ખાતે અમદાવાદથી ખાસ હાજર નિષ્ણાંત ડોકટરો ડો. રાકેશ જોશી તથા ડો. જીતેન્દ્ર દેસાઇ, ઉપરાંત મેડીકલ કોલેજના અધિકારીઑ ડો. નંદીની દેસાઇ, ( ડીન, મેડીકલ કોલેજ) ડો. મનીષ મહેતા, (મેડીસીન વિભાગના વડા ) ડો. એસ. એસ. ચેટરજી , ઇનચાર્જ તબીબી અધિક્ષક ડો. ધર્મેન્દ્વ વસાવડા, ડો. વંદના ત્રિવેદી, ( એનેસ્થેસ્યોલોજી ના વડા) ડો. ઇવા ચેરટજી તથા તેમની ટીમના સભ્યો હાજર રહયા હતાં

loading…