Manoj Agrawal

રાજકોટ શહેરમાં હથીયારબંધી

Manoj Agrawal

રાજકોટ તા.૩૧ઓગસ્ટ – રાજકોટ શહેરમાંકોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ   થાય ને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલેએ  રાજકોટ શહેર પોલીસકમિશનર   વિસ્તારમાં એક હુકમ પ્રસિધ્ધ  કરી  તા.૦૧/૦૯/૨૦૨૦ થી  તા. ૩૧-૧૦-૨૦૨૦ સુધી નીચે દર્શાવ્યા  મુજબના કૃત્યો કરવાની  મનાઇ  ફરમાવી છે.

હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવાપર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવાપર કે ધકેલવાપર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા બાળવા તથા ફાસી આપવા  પર, પ્રાઇવેટ સિકયુરટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે હથીયાર રાખવા પર  અથવા બીજા કોઇ સ્ફોટક પદાર્થો લઇ જવા પર, અથવા જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે બુમો પડવા ગીતો ગાવા કે વાદ્યો વગાડવા પર પર પ્રતિબંધ  મૂકયો છે.  પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત હેઠળના સમગ્રવિસ્તાર પર આ  પ્રતિબંધ  લાગુ પડશે. 

આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યો સામે પ્રતિબંધનો  ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.