આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૯૮ નવા દર્દીઓ નોંધાયા ૭૭૭ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૨૦ જુલાઈ ૨૦૨૦
આજ રોજ રાજ્યમાં ૯૯૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૭૭૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૪૮,૯૮૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૦૮,૮૪૦ વ્યક્તિઓને
ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૪,૦૬,૭૯૪ વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છે અને ૨,૦૪૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૭૮ અને સ્ટેબલ ૧૧૫૩૫ કુલ દર્દીઓ છે.
**********