સુશાંતસિંહ રાજપૂતના મીણના સ્ટેચ્યૂની તસવીરો,બંગાળના આર્ટિસ્ટે બનાવ્યું સ્ટેચ્યૂ
અહેવાલ: હેમાલી ભટ્ટ
૧૮ સપ્ટેમ્બર:બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ તેમના પ્રશંસકો હજુ પણ શોકમગ્ન છે, દેશભરમાં હજુ પણ લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે, ત્યારે પશ્ચિમ બંગાળના આસાનસોલમાં રહેતા મૂર્તિકાર સુકાંતો રોયે સુશાંતનું મીણનું સ્ટેચ્યૂ બનાવ્યું છે. આ સ્ટેચ્યૂની તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.મીણનું પૂતળુ બનાવનાર સુંકાતો કહે છે કે તો પોતે સુશાંતના ખુબ મોટા ફેન છે.આ પૂતળુ તેમણે પોતાના મ્યૂઝિયમ માટે તૈયાર કર્યુ છે.
સુશાંતનું સ્ટેચ્યૂ મ્યૂઝિયમ જોવા આવનારા લોકોને પણ ખુબ પસંદ આવી રહ્યું છે. તો સોશલ મીડિયા પર પણ સુશાંતના મીણના સ્ટેચ્યૂની પ્રશંસા થઈ રહી છે.મહત્વનું છે સુશાંતસિંહ રાજપૂતનું મોત રહસ્યમય સંજોગોમાં થયું હતું, એનસીબી,ઈડી અને સીબીઆઈ સતત આ મામલે તપાસ કરી રહી છે.
loading…